દેશમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે કોરોનાને લઈને હવે સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોરોનાના દર્દીને જિસ્ચાર્જ કરતી સમયે હવે કોરોનાથી થયેલા મોતનો રેકોર્ડ રાખવા માટે આ નિયમ બનાવાયો છે. જો કોરોના દર્દીનું મોત થાય છે તો તે મોત કયા કારણોસર થયું છે તેની જાણકારી ડોક્ટરોએ આપવાની રહેશે.
ICMRની નવી ગાઈડલાઈન થઈ જાહેર
કોરોનાના દર્દીના મોતના કારણની પણ આપવી પડશે જાણકારી
કોરોના પાછળના કારણો શોધવા શરૂ કરવામાં આવશે આ વ્યવસ્થા
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ દેશભરના ડોકટરોને કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મોતનું કારણ સામેલ કરવાની સૂચના આપી છે. ICMRની નવી ગાઇડલાઈન મુજબ હવે ડોકટરોએ કહેવું પડશે કે શ્વાસ લેવામાં મુશ્કેલીઓ (એઆરડીએસ), હાર્ટ પ્રોબ્લેમ અથવા ન્યુમોનિયાના. કયા કારણે દર્દીનું મોત થયું છે.
ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 2000 ને વટાવી ગયો છે. આ કારણ છે કે કોરોના દર્દીઓના મૃત્યુનાં કારણોને કોઈક કેટેગરીમાં વહેંચવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમાં, ડોકટરોને દર્દીને પૂર્વ-અસ્તિત્વમાં રહેલ રોગ, કોરોના પછીની સમસ્યા અને અન્ય કારણો વિશે જણાવવા કહેવામાં આવ્યું છે. આ રેકોર્ડ્સ દ્વારા, ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર) એ જોવા માંગે છે કે દેશમાં કોરોનાનું સૌથી મોટું કારણ શું છે, જેથી તેની દેખરેખ રાખી શકાય.
કોરોના પાછળના કારણો શોધવા શરૂ કરવામાં આવશે આ વ્યવસ્થા
ICMRએ કહ્યું છે કે, કોવિડ -19 ની મૃત્યુ પાછળ કોઈ અન્ય કારણ હોવાની સંભાવના છે. કોરોના વાયરસથી મરી રહેલા દર્દીઓને શ્વાસ લેવામાં, હ્રદયરોગમાં અથવા ન્યુમોનિયામાં મુશ્કેલી થાય છે, જેના કારણે તેઓ મરી રહ્યા છે. આ તમામ રોગો વિશે અલગ માહિતી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે આ પ્રકારનો રોગ કોરોના વાયરસને માનવ શરીરમાં પ્રવેશવાની તક આપે છે અને દર્દીની સ્થિતિ ઝડપથી બગડવાની શરૂઆત થાય છે. થોડા દિવસો સુધી, દર્દી તેની સાથે લડે છે, પરંતુ તે થોડા દિવસો પછી મરી જાય છે.
દેશના દરેક રાજ્યો અને જિલ્લાઓથી ડેટાની છે જરૂર
દિલ્હી, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળના રાજયો જ્યાં કોરોનાથી થનારા મોતનો આંક ઝડપથી વધી રહ્યો છે ત્યાં ડાયરર્જન મેટ્રિક્સની મદદથી મૃત્યુદરને ઓછો કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. ICMRના આધારે બીમારીની પેટર્ન અને મોતની પેટર્નને વિશે ખ્યાલ આવે તો કોરોનાને ઝડપથી રોકી શકાય. આ માટે એક ખાસ ડેટાની જરૂર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.