ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ (ICMR)એ કોરોના વાયરસના ટેસ્ટ માટે ભારત દ્વારા નિર્મિત પહેલી ટેસ્ટ કિટને મંજૂરી આપી દીધી છે. પૂણેની ફર્મ માયલેબને આ માટે જવાબદારી સોંપવામાં આવી છે. માયલેબે એક સપ્તાહમાં 1 લાખ કિટ તૈયાર કરવાનું વચન આપ્યું છે. કંપનીનો દાવો છે કે એક કિટથી 100 પીડિતોનો ટેસ્ટ કરવામાં આવી શકે છે.
ICMRએ કોરોનાના ટેસ્ટ માટે ભારત દ્વારા નિર્મિત પહેલી ટેસ્ટ કિટને મંજૂરી આપી
કંપનીનો દાવો, એક કિટથી 100 પીડિતોનો ટેસ્ટ કરવામાં આવી શકે છે
માયલેબે એક સપ્તાહમાં 1 લાખ કિટ તૈયાર કરશે
પૂણેની કંપની માયલેબે 6 સપ્તાહમાં સ્વદેશી કિટ વિકસિત કરી છે. આ લેબ દ્વારા દર સપ્તાહે 1 લાખ કિટનું નિર્માણ કરવામાં આવી શકે છે. માયલેબ જે કિટ તૈયાર કરશે તેનો ખર્ચ વિદેશથી આવનારી કિટથી એક ચતુર્થાંશ હશે. દરેક કિટથી 100 પીડિતોના ટેસ્ટ કરવામાં આવી શકે છે. માયલેબ પેથોડિટેક્ટ કોવિડ-19 ક્વાલિટેટિવ પીસીઆર કિટ એ પહેલી કિટ છે જેને વ્યાવસાહિક તરીકે મંજૂરી આપવામાં આવી છે.
આ કિટને ઇન્ડિયન એફડીએ/ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત માયલેબ એકમાત્ર ભારતીય કંપની છે જેણે ICMR મૂલ્યાંકનમાં 100 ટકા સંવેદનશીલતા અને વિશિષ્ટતા હાંસલ કરી છે.
માયલેબ ડિસ્કવરી સોલ્યૂસન્સના ડિરેક્ટર જનરલ હસમુખ રાવલે જણાવ્યું, મેક ઇન ઇન્ડિયા હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારના સમર્થનથી COVID-19 ટેસ્ટ માટે કિટને રેકોર્ડ સમયમાં વિકસિત કરવામાં આવી છે. તેને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની મંજૂરી મળી છે.