ભારતમાં અમુક રાજ્યોમાં વધી રહેલા કેસની સંખ્યા જોતાં આ રાજ્યોમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોય તેવું લાગે છે. આવા સમયે સ્કૂલો ખોલી નાખવી એ કેટલો યોગ્ય નિર્ણય છે? ICMR દ્વારા આ બાબતે ખુલાસા કરવામાં આવ્યા હતા.
દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રોજ કોરોનાના કેસ પ્રતિદિન વધી રહ્યા છે. વચ્ચે અમુક દિવસો દરમિયાન સંખ્યા નિયંત્રણમાં પણ રહેલી જોવા મળે છે. અમુક રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા ચિંતાજનક છે જેને લઈને આઇસીએમઆર (ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) ના એપીડેમોલોજી અને કમ્યુનિકેબલ ડીસીઝના પ્રમુખ ડૉ. સમીરન પાંડાએ કહ્યું હતું કે જે રાજ્યોમાં કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન ભયાનકતા દેખાઈ ન્હોતી એ રાજ્યોમાં હવે કોરોનાના કેસ વધી રહ્યા છે. આ જ કદાચ ત્રીજી લહેરના સંકેતો છે.
ડૉ. પાંડાએ એમ પણ કહ્યું હતું કે એ મહત્વનું છે ભારતની સમગ્ર રૂપે વાત ન કરતાં રાજ્યોની વાત કરવામાં આવે તો તમામ રાજ્યોમાં એકસરખી સ્થિતિ નથી. તેમણે કહ્યું હતું કે વિવિધ રાજ્યોએ મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યોમાંથી પાઠ લઈને કોવિડ 19 ના નિયંત્રણો લગાવવાનનું શરૂ કર્યું અને વેકસીનેશન પર જોર આપવાનું શરૂ કર્યું જેના કારણે હવે ઘણા રાજ્યોમાં કોરોનાની બીજી લહેર ગંભીર રૂપ ધારણ નહોતી કરી શકી. પણ હજુ ત્રીજી લહેરની આશંકા રહી ગઈ છે.
અમૂક રાજ્યોમાં ત્રીજી લહેરના સંકેત
ડૉ. પાંડાએ કહ્યું હતું કે હાલના સમયમાં અમૂક રાજ્યોમાં કોવિડના કેસ વધી રહ્યા છે જે ત્રીજી લહેરના સંકેત આપે છે. તેમણે કહ્યું હતું કે તમામ રાજ્યોએ પોતાને ત્યાંઆ પ્રથમ અને બીજી લહેર દરમિયાન કોરોના સંક્રમણની સંખ્યા અને તેની ભયાવહતાનું વિશ્લેષણ કરીને ત્રીજી લહેર સામે પગલાં લેવાની તૈયારી કરવી જોઈએ.
સ્કૂલ્સ ખોલી નાખવી આ સમયે યોગ્ય અને સુરક્ષિત છે કે કેમ?
તેમણે કહ્યું હતું કે સ્કૂલ્સ ખોલી નાખવી આ સમયે યોગ્ય અને સુરક્ષિત છે કે કેમ તે પણ સોચવીચાર કરવા જેટલી મહત્વની બાબત છે કારણ કે બધી જ જગ્યાએ કેસ સંખ્યા નિયંત્રણમાં નથી અને તેની તૈયારી કરવામાં આવે તે જરૂરી છે. શિક્ષકો, બસ ચાલકો, કંડક્ટરો, સહાયક કર્મચારીઓ અને એટલે સુધી કે પેરેન્ટ્સનું પણ વેકસીનેશન થઈ જવું જોઈએ. આ પ્રકારનો પ્રોટોકોલ લાગુ કરીને તેના હોર્ડીંગ લગાવવામાં આવે તે પણ જરૂરી છે.