મહામારી દરમિયાન દેશમાં લગભગ 60 ટકા બાળકો પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા હતા.
દેશમાં લગભગ 60 ટકા બાળકો પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા- સીરો સર્વે
તહેવારોમાં એક્સપર્ટ્સે સાવધાન રહેવાની સલાહ આપી
કોરોનાને લીધે બાળકોમાં મૃત્યદર 10 લાખમાં 2 જ હતો
તહેવારોમાં એક્સપર્ટ્સે સાવધાન રહેવાની સલાહ આપી
દેશમાં કોરોના સંક્રમણની સ્પીડમાં ઘણો ઘટાડો આવી ચૂક્યો છે. પરંતુ હજુ પણ વાયરસનો ખતરો ટળ્યો નથી. ખાસ કરીને તહેવારોમાં એક્સપર્ટ્સે સાવધાન રહેવાની સલાહ આપી છે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કોરોના સંક્રમણને લઈને હેરાન કરનારો ખુલાસો કર્યો છે. આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલા સીરો સર્વેમાં એ વાત સામે આવી છે કે મહામારી દરમિયાન દેશમાં લગભગ 60 ટકા બાળકો પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા હતા.
દેશમાં લગભગ 60 ટકા બાળકો પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા- સીરો સર્વે
ICMRએ જણાવ્યું કે સીરો સર્વેમાં એ વાત સામે આવી છે કે કોરોના દરમિયાન ફક્ત વૃદ્ધો કે યુવાનો જ નહીં બાળકો પણ સંક્રમિત થયા. સર્વે મુજબ 60 ટકા બાળકો કોરોનાથી સંક્રમિત થયા પણ રાહતની વાતએ છે કે તેમનામાં મોતનો દર ઘણો ઓછો હતો
કોરોનાને લીધે બાળકોમાં મૃત્યદર 10 લાખમાં 2 જ હતો
દિલ્હી એમ્સના ડો. સંજય રાયે જણાવ્યું કે બાળકોની ઈમ્યૂનિટી પાવર મજબૂત હોવાના કારણે તેઓ વધારે અસરગ્રસ્ત ન થયા. કોરોનાને લીધે બાળકોમાં મૃત્યદર 10 લાખમાં 2 જ હતો. બાળકો માટે કોરોનાની રસી ફાયદાકારક રહેશે કે નહીં તે એ વાત પર તેમણે કહ્યું કે હાલમાં આને લઈને કોઈ અધ્યયન સામે આવ્યું નથી જેનાથી એવું સાબિત થાય કે રસી બાળકો માટે ફાયદાકારક રહે.
80 ટકાથી વધારે લોકોમાં કોરોનાની એન્ટીબોડી
ઉલ્લેખનીય છે કે એપ્રિલ મે મહિનામાં સંપૂર્ણ દેશમાં કોરોની બીજી લહેરે કેર વર્તાવ્યો હતો. જો કે હાલમાં મોટા ભાગના રાજ્યોમાં તેની સ્પીડ અટકી છે અને સરકાર પણ પ્રતિબંધોમાંથી છૂટ આપી રહી છે. જો કે જનતાએ સાવધાની વર્તવાની છે. હાલમાં સૌથી વધારે કેસ કેરળમાં છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રીના કહેવા મુજબ હાલના સીરો સર્વે અનુસાર કેરળમાં 18 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના 80 ટકાથી વધારે લોકોમાં કોરોનાની એન્ટીબોડી છે.