ICMR એ કહ્યું કે, કોરોના સંક્રમણમાં અછત આવવા પર સૌથી પહેલા પ્રાઈમરી સ્કૂલો ખોલવા જોઈએ.
ICMRએ કહ્યું સૌથી પહેલા પ્રાઈમરી સ્કૂલો ખોલવા જોઈએ
નાના બાળકોમાં કોરોના સંક્રમણનો ખતરો ઓછો
સ્કૂલો ખોલવાનો નિર્ણય રાજ્ય તથા જિલ્લા પ્રશાસનનો હોવો જોઈએ
ICMRએ કહ્યું સૌથી પહેલા પ્રાઈમરી સ્કૂલો ખોલવા જોઈએ
કોરોના વાયરસની ત્રીજી લહેરની શક્યતાની વચ્ચે આઈસીએમઆરે સૂચવ્યુ છે કે પહેલા કયા સ્તર પર સ્કૂલ ખોલવા જોઈએ. ચિકિત્સા વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોના સંક્રમણમાં અછત આવવા પર સૌથી પહેલા પ્રાઈમરી સ્કૂલો ખોલવા જોઈએ. કેમ કે નાના બાળકોમાં કોરોના સંક્રમણનો ખતરો ઓછો છે. આઈસીએમઆરના ડિરેક્ટર ડો. બલરામ ભાર્ગવે એક પ્રશ્નના ઉત્તરમાં આ વાત કરી છે.
નાના બાળકોમાં કોરોના સંક્રમણનો ખતરો ઓછો
બલરામ ભાર્ગવે કહ્યું કે પ્રાઈમરી સ્કૂલ પહેલા ખોલવા જોઈએ કેમ કે બાળકોમાં એસ રિસેપ્ટર ઓછું હોય છે. એટલા માટે તેમને સંક્રમણનું સંકટ ઓછુ છે અને સંક્રમણ વધારે ગંભીર નથી હોતુ. રિસેપ્ટર એવા પ્રોટિન હોય છે જે કોરોના વાયરસના પ્રવેશ દ્વાર હોય છે. જેમાં વાયરસ ચોંટી જાય છે અને તમામ માનવ કોશિકાઓને સંક્રમિત કરી શકે છે. પરંતુ સ્કૂલ ખોલવાની પહેલા તમામ શિક્ષકો તથા સ્કૂલોમાં કાર્ય કરનારા તમામ કાર્મિકો, બસ સ્ટાફ વગેરેનું રસીકરણ થવું જોઈએ.
સ્કૂલો ખોલવાનો નિર્ણય રાજ્ય તથા જિલ્લા પ્રશાસનનો હોવો જોઈએ
તેમણે કહ્યું છે કે આ બાદ સેકન્ડરી સ્કૂલોને ખોલવી જોઈએ. ભાર્ગવે કહ્યું કે આ નિર્ણય રાજ્ય તથા જિલ્લા પ્રશાસનને કરવો જોઈએ. જેઓ ત્યાંની સ્થિતિને જોઈને નિર્ણય લેશે. તેમણે કહ્યું કે આઈસીએમઆરના હાલના રાષ્ટ્રિય સીરો સર્વેમાં જોવા મળ્યુ છે કે 6 વર્ષથી 9 વર્ષની ઉંમરના બાળકોમાં એન્ટીબોડી 57.2 ટકા છે. જે બહુ હદ સુધી વયસ્કો સમાન છે.
બાળકો સંક્રમણથી ઘણી સારી રીતે પહોંચી વળી શકે છે
અનેક જિલ્લામાં કોવિડ 19ના મામલા ઘટવાને લઈને સ્કૂલોને ખોલવા અંગે પૂછવા પર ભાર્ગવે કહ્યું કે વયસ્કોની સરખામણીએ બાળકો સંક્રમણથી ઘણી સારી રીતે પહોંચી વળી શકે છે અને આ સાબિત થઈ ચૂક્યુ છે કે તેમનામાં ઓછી સંખ્યામાં એસ રિસેપ્ટર હોય છે. જેમાં વાયરસ ચોંટે છે. કેટલાક દેશોમાં ખાસ કરી ને સ્કેન્ડેનેવિયાઈ દેશોમાં પહેલી, બીજી અને ત્રીજી લહેર દરમિયાન પ્રાથમિક વિદ્યાલયો બંધ નથી કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે તેમણે કહ્યું છે કે લોકોનું બેજવાબદારી ભર્યુ વર્તન ત્રીજી લહેરનું સંકટ વધારી શકે છે.