લંડનના ઈન્ટરનેશનલ કાઉન્સિસ ઓફ જ્યૂરિસ્ટે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદને અપીલ કરી છે કે ચીન પર ‘માનવતાની વિરુદ્ધ ગંભીર ગુનો કરવાનો દંડ’લગાવવામાં આવે. સંગઠને આરોપ લગાવ્યો છે કે કોરોના વાયરસ મહામારી પ્રાથમિક રુપે બેઈજીંગનું ષડયંત્ર છે. જેથી તે પોતાને મહાશક્તિ બનાવી શકે.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદને અપીલ કરી
ચીન પર ‘માનવતાની વિરુદ્ધ ગંભીર ગુનો કરવાનો દંડ’લગાવવામાં આવે
મહામારી પ્રાથમિક રુપે બેઈજીંગનું ષડયંત્ર છે
આઈસીજેના અધ્યક્ષ આદિશ સી. એગ્રવાલે કહ્યું કે, ‘વાયરસને ફેલાતો અટકાવવામાં ચીન દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવી હોવાથી સમગ્ર વિશ્વમાં મંદી આવી ગઈ છે અને ખરબો ડૉલરનું નુકસાન થયું છે. તેમજ ભારત તથા દુનિયાના અન્ય દેશોમાં લાખો લોકો બેરોજગાર થઈ ગયા છે.
તેમણે કહ્યું કે આ રહસ્ય છે કે વાયરસ ચીનના તમામ પ્રાંતમાં કેમ ન ફેલાયો. જ્યારે દુનિયાના તમામ દેશોમાં તે ફેલાઈ ગયો છે. તેમણે જિનેવા સ્થિત માનવાધિકાર સંગઠનમાં અપીલ કરી છે. વાયરસ ફેલાવવા માટે તેમણે ચીન, તેની સેના અને વુહાનને જવાબદાર ગણાવ્યું છે. જેના કારણે સમગ્ર દુનિયામાં 50 હજારથી વધારે લોકોના મોત નિપજ્યા છે. દુનિયા ઠબ થઈ ગઈ છે.
અગ્રવાલે યુએનએચઆરસી પાસે માંગણી કરી છે કે તે ચીનને આદેશ આપે કે બિમારી ફેલાવવા બદલ ‘સમગ્ર દુનિયા અને ખાસ કરીને ભારતના નુકશાનની ભરપાઈ કરે.