જો તમારી પાસે કાર્ડ કે કેશ નથી તો તમે હવે તમારી કાર પર લાગેલા ફાસ્ટેગની મદદથી પણ પેટ્રોલ પંપથી પેટ્રોલ ભરાવી શકો છો. તેની પ્રોસેસ થોડી અલગ છે.
કાર્ડ કે કેશ નથી તો પણ ભરાવી શકાશે પેટ્રોલ
કાર પર લગાવેલું ફાસ્ટેગ કરશે તમારી મદદ
જાણો શું છે Fastagથી પેટ્રોલ ભરાવવાની પ્રોસેસ
ડિજિટલ પેમેન્ટના કારણે અનેક ચીજો બદલાઈ છે. જ્યાં પહેલા તમે દરેક પેમેન્ટને માટે કેશ લઈને સાથે ચાલતા હતા તેને બદલે હવે કાર્ડનો યૂઝ કરાઈ રહ્યો છે. આ સિવાય એટીએમથી પણ રૂપિયા કાઢવાની જરૂર રહેતી નથી. તમે પેમેન્ટ કાર્ડ વિના સરળ રીતે કરી શકો છો. તમે તમારા ફોનની મદદથી પણ પેમેન્ટ કરી શકો છો. હવે પેમેન્ટ કરવા કાર્ડ કે કેશની પણ જરૂર નથી તમે પેટ્રોલ પંપ પર કારના Fastagની મદદથી પણ પેટ્રોલ ખરીદી શકો છો.
આ રીતે થઈ રહ્યો છે Fastagનો ઉપયોગ
હાલમાં ફાસ્ટેગનો ઉપયોગ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ આપવા માટે થઈ રહ્યો છે. તો અનેક જગ્યાઓએ તેને પાર્કિંગના પેમેન્ટ માટે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે. હવે પેટ્રોલ પંપ પર પણ ફાસ્ટેગથી પેમેન્ટની વ્યવસ્થા કરાઈ છે. તેનાથી તમે પેટ્રોલ ભરાવવા માટે મુશ્કેલીમાં મૂકાશો નહીં. તમારા રૂપિયા ફાસ્ટેગના એકાઉન્ટથી જ કપાઈ જશે. હવે તમે વિચારી રહ્યા હશો કે આ રૂપિયા કેવી રીતે કાપવામાં આવશે તો તેને માટેની પ્રોસેસ અમે આપને જણાવી રહ્યા છીએ.
આ રીતે મળી રહી છે સુવિધા
ઈન્ડિયન ઓઈલ અને આઈસીઆઈસીઆઈ બેંક આ સુવિધા લાવ્યા છે. તેના આધારે તમે દરેક પેટ્રોલ પંપ પર કેશલેસ અને કોન્ટેક્સ લેસ પેમેન્ટ કરી શકશો. આઈસીઆઈસીઆઈ બેંકના ફાસ્ટેગ યૂઝર્સ ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પંપ પર ફાસ્ટેગની મદદથી પેમેન્ટ કરી શકશે. એવામાં તમે પેટ્રોલ ભરાવો છો તો Fastagના એકાઉન્ટથી રૂપિયા કપાય છે. હાલમાં ઈન્ડિયન ઓઈલના અનેક રિટેલ આઉટલેટ્સ પર તેની વ્યવસ્થા કરાઈ છે.
કેવી રીતે થશે પેમેન્ટ
મળતી માહિતિ અનુસાર ફાસ્ટેગથી પેમેન્ટ કરવા માટે તમારે એક પ્રોસેસ ફોલો કરવાની છે. આ સુવિધાનો લાભ લેવા પહેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરનારા વ્યક્તિને સૂચના આપો કે તમે ફાસ્ટેગથી પેટ્રોલ ભરાવી રહ્યા છો. આ પછી તે કર્મચારી તમારી કાર પરના ફાસ્ટેગને સ્કેન કરશે અને તમને એક ઓટીપી મળશે. આ ઓટીપી પીઓએસ મશીનમાં ભરો. હવે તમારું ટ્રાન્ઝેક્શન પૂરું થશે. પેટ્રોલ પંપ પર Fastagનો ઉપયોગ ટોલ પ્લાઝાની જેમ થશે નહીં.
96 ટકા ઘટી રહ્યો છે Fastagનો ઉપયોગ
લગભગ 3.48 કરોડ ગ્રાહકોની સાથે દેશમાં ફાસ્ટેગનો ઉપયોગ 96 ટકા ઘટી રહ્યો છે. ફાસ્ટેગ દર વર્ષે ઈંધણ પર 20,000 કરોડ રૂપિયાની બચત કરશે. તેનાથી કિંમતી વિદેશી મુદ્રાની બચતની સાથે સાથે પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદ મળશે. રાજમાર્ગનો ઉપયોગ કરનારાને ફાસ્ટેગના ઉપયોગથી સમયની બચત થઈ રહી હોવાનું સામે આવ્યું છે.