દેશની મોટી પ્રાઇવેટ બેન્કોમાં સામેલ ICICI બેન્કે પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. ડીજીટલ લેણ-દેણને પ્રોત્સાહન આપવાની આડમાં આ બેન્કે ઝીરો બેલેન્સ એકાઉન્ટ હોલ્ડર્સ પર એવો ચાર્જ લગાવી દીધો છે, જેથી ગ્રાહકની મુશ્કેલી વધી જશે.
ICICI બેન્કે પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો
ICICI બેન્કે ઝીરો બેલેન્સ એકાઉન્ટ હોલ્ડર્સ પર ચાર્જ લગાવ્યો
બેન્કના નિર્ણયથી ગ્રાહકો મુશ્કેલીમાં
જો આપના ICICI બેન્કમાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે તો પછી આવનાર દિવસોમાં આપને બ્રાન્ચથી કેશ નીકાળવા પર ચાર્જ ચૂકવવો પડશે. ICICIએ ઝીરો બેલેન્સ એકાઉન્ટ હોલ્ડર્સને 16 ઓક્ટોબરથી બેન્કની કોઇપણ બ્રાન્ચથી કેશ નીકાળવા પર 100-125 રૂપિયા ચાર્જ લગાવવાની જાહેરાત કરી છે. ગ્રાહકે તમામ ટ્રાન્ઝેક્શન પર આ ચાર્જ ચૂકવવો પડશે.
ICICI બેન્ક મુજબ કેશના ઉપાડ સિવાય જો ઝીરો બેલેન્સ એકાઉન્ટમાં ગ્રાહક મશીન દ્વારા પૈસા જમા કરે છે, તો તેના માટે પણ ચાર્જ લાગશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ICICI બેન્કે શુક્રવારે રાત્રે એક નોટિસ જાહેર કરી કહ્યું કે અમે અમારા ગ્રાહકોને બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ડીજીટલ મોડમાં કરવા માટે ઉત્સાહિત કરીએ છીએ.
બેન્કે તર્ક આપ્યો છે કે દેશ ડીજીટલ ઇન્ડિયા તરફ ઝડપથી વધી રહ્યો છે. તેથી બેન્કે મોબાઇલ બેન્કિંગ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા થતા NEFT, RTGS અને UPI ટ્રાન્ઝેક્શન પર લાગતા તમામ ચાર્જ ખતમ કરી દીધા છે.
નોંધનીય છે કે, ICICI બેન્કના બ્રાન્ચથી 10,000 રૂપિયાથી લઇને 10 લાખ રૂપિયા સુધી NEFT ટ્રાન્ઝેક્શન પર 2.25 રૂપિયાથી લઇને 24.75 રૂપિયા (GST એક્સ્ટ્રા) નો ચાર્જ આપવો પડે છે. જ્યારે બ્રાન્ચથી RTGS ટ્રાન્ઝેક્શન પર 20 રૂપિયાથી લઇને 45 રૂપિયા (GST એકસ્ટ્રા)નો ચાર્જ આપવો પડે છે.
આ સાથે જ બેન્કે પોતાના ઝીરો બેલેન્સ એકાઉન્ટ હોલ્ડર્સથી અપીલ કરી છે કે તે પોતાના એકાઉન્ટને કોઇ અન્ય બેસિક એકાઉન્ટમાં બદલી લે. જો તે એવું નથી કરી શકતા તો પોતાનું એકાઉન્ટ બંધ કરી લે.