વોશિંગ્ટન સ્થિત ઈંટરનેશનલ કમીશન ફોર હ્યૂમન રાઈટ્સ એન્ડ રિલીઝિયસ ફ્રીડમ (ICHRRF) એ માન્યું છે કે, કશ્મીરી પંડિતોનું 1989-1991 દરમિયાન નરસંહાર કરવામાં આવ્યો હતો.
ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મ બાદ આ મુદ્દો ફરી વાર ચર્ચામાં આવ્યો
માનવાધિકાર આયોગે પણ નરસંહાર માન્યો
ગુનેગારોને કડકમાં કડક સજા આપવાની વાત કરી
વોશિંગ્ટન સ્થિત ઈંટરનેશનલ કમીશન ફોર હ્યૂમન રાઈટ્સ એન્ડ રિલીઝિયસ ફ્રીડમ (ICHRRF) એ માન્યું છે કે, કશ્મીરી પંડિતોનું 1989-1991 દરમિયાન નરસંહાર કરવામાં આવ્યો હતો. રવિવારે થયેલી સ્પેશિયલ સુનવાણીમાં લગભગ 12 કશ્મીરી પંડિતોએ જુબાની આપતા પોતાના પરિવાર સાથે થયેલી વરવી વાસ્તવિકતાનું વર્ણન કર્યું હતું. આયોગે ભારત સરકાર તથા જમ્મુ કાશ્મીરની સરકારને આ નરસંહાર માનતા દોષિતોને ક઼ડક સજા આપવાનું આહ્વાન કર્યું છે. હાલમાં જ આવેલી ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સમાં પણ પંડિતોના સાથે થયેલી બર્બરતા દર્શાવામાં આવી છે.
માનવાધિકાર આયોગે આ મુદ્દાની સુનાવણી કરી
આંતરરાષ્ટ્રીય માનવાધાકિર અને ધાર્મિક સ્વતંત્રતા આયોગે માનવ અધિકારો અને મૌલિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે. આયોગે 27 માર્ચે કશ્મીરી હિન્દુઓના નરસંહારના મુદ્દા પર સુનાવણી કરી હતી. તેમાં કેટલાય પીડિત બાળકો તથા લોકો શપથપૂર્વક જુબાની આપી હતી અને પુરાવા રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, આ જાતિય અને સાંસ્કૃતિક સંહાર હતો. આયોગે કહ્યું કે, તે નરસંહાર અને માનવતા વિરુદ્ધ ગુનાઓને પીડિત તથા બાળકોની ગરિમાને સુનિશ્ચિત કરવા અને આ ગુનો કરનારાને સજા આપવા માટે તત્પર છે.
દુનિયા સાંભળે બર્બરતાની સ્ટોરી
આયોગે ભારત સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરની સરકારને કશ્મીરી હિન્દુઓ પર 1989-1991ના અત્યાચારોને નરસંહારના રૂપમાં સ્વિકાર્ય કરવાનું આહ્વાન કર્યું છે. આયોગે અન્ય માનવાધિકાર સંગઠનો, આંતરરાષ્ટ્રીય નિકાયોની તેની તપાસ અને તેને નરસંહાર માનવાની પણ અપીલ કરી છે. આયોગે એવું પણ કહ્યું કે, દુનિયાને કશ્મીરી પંડિતો સાથે થયેલી બર્બરતાની સ્ટોરી પણ સાંભળી જોઈએ.
4 લાખ પંડિતોને હાંકી કાઢ્યા, હત્યા અને સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યા
90ના દાયકામાં કશ્મીરમાં પંડિતોના હજારો ઘરો અને મંદિરોને તોડી નાખવામાં આવ્યા. 400,000થી વધારે કશ્મીર હિન્દુ પુરુષો, મહિલાઓ અને બાળકોના આતંકવાદીઓ દ્વારા બંદૂરની અણીએ નિર્વાસિત કરવા માટે મજબૂર કરવામાં આવ્યા, તેમને ઘર અને અન્ય તમામ જગ્યાએથી હટાવી દેવામાં આવ્યા. મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર અને અત્યાચાર આદરવામા આવ્યા. તેમના કત્લ કરવામાં આવ્યા. કશ્મીરી પંડિતો અને તેમની સંસ્કૃતિ વિલુપ્ત થવાના આરે છે.