દુનિયાના સૌથી ઉંચો પર્વત માઉંટ એવરેસ્ટ પર આવેલા સૌથી ઉંચા ગ્લેશિયર પર જામેલો દાયકો જૂનો બરફ દર વર્ષે પાણીને માફક વહી રહ્યો છે. એટલા માટે માનવ પ્રેરિત જળવાયું પરિવર્તન જવાબદાર છે. એક નવા સંશોધનમાં આ વાતનો ખુલાસો થયો છે.
માનવજાત માટે ચેતી જવાનો સમય આવી ગયો
જળવાયુ પ્રદૂષણને કારણે પાણીની જેમ પિઘળી રહ્યો છે બરફ
આવી શકે છે ભયાનક પરિણામો
દુનિયાનો સૌથી ઉંચો પર્વત માઉંટ એવરેસ્ટ પર આવેલા સૌથી ઉંચા ગ્લેશિયર પર જામેલો દાયકો જૂનો બરફ દર વર્ષે પાણીને માફક વહી રહ્યો છે. એટલા માટે માનવ પ્રેરિત જળવાયું પરિવર્તન જવાબદાર છે. એક નવા સંશોધનમાં આ વાતનો ખુલાસો થયો છે. અધ્યયનના પરિણામોને એક ગંભીર ચેતવણી તરીકે લઈ શકાય છે કે, પૃથ્વીની થોડી ઉંચાઈ પર ગ્લેશિયર ઝડપથી પિઘળવાના કારણએ જળવાયુ પરિવર્તનના ભાયનક પરિણામ જોવા મળી શકે છે.
જળવાયુ પરિવર્તનના દુષ્પરિણામોમાં વારંવાર હિમસ્ખલ અને જળ સ્ત્રોતના સુકાવા જેવી વિપદાઓ શામેલ છે. આની પર પર્વત શ્રૃંખલામાં લગભગ 1.6 અબજ લોકો પીવા, સિંચાઈ અને જળ વિદ્યુત માટે નિર્ભર છે. દક્ષિણ કર્નલ ગ્લેશિયર પર બરફ જામવાથી લગભગ 2000 વર્ષ લાગ્યા અને ફક્ત 25 વર્ષમાં તે પિઘળો ગયો. તેનો અર્થ એ થાય કે, તેને બનવાની સરખામણીમાં તે 80 ગણો વધારે ઝડપથી પિઘળી રહ્યો છે.
વૈજ્ઞાનિકોએ હાઈએસ્ટ ગ્લેશિયરોને કર્યો નજરઅંદાજ
શોધકર્તાએ નેચર પોર્ટફોલિયો જર્નલ ક્લાઈમેટ એન્ડ એટમોસ્ફેરિક સાઈંસમાં પ્રકાશિત અધ્યયનમાં તર્ક આપ્યો છે કે, જ્યારે ગ્લેશિયરોના પિઘળવલામાં વ્યાપક રીતે અધ્યયન કરવામા આવ્યું છે, વૈજ્ઞાનિકોએ ધરતીના ઉચ્ચતમ બિંદુઓ પર આવેલા ગ્લેશિયરો પર ખૂબ ઓછું ધ્યાન આપ્યું છે. યુનિવર્સિટી ઓફ મેનના છ વૈજ્ઞાનિકો અને પર્વતારોહણ સહિત એક ટીમે 2019માં ગ્લેશિયરનો પ્રવાસ કર્યો હતો અને 10 મીટર લાંબા બરફના ટુકડાના નમૂના એકઠા કર્યા હતાં.
પૃથ્વીની દૂર ગ્લેશિયર સુધઈ પહોંચ્યું જળવાયુ પરિવર્તન
તેમણે ડેટા એકઠા કરવા માટે દુનિયાના બે સૌથી ઉંચા સ્વચાલિત મૌસમ સ્ટેશન પણ સ્થાપિત કર્યા છે, જેના ઉદ્દેશ્ય એ સવાલનો જવાબ શોધવાનો હતો કે, શું માનવ સાથે જોડાયેલા જળવાયુ પરિવર્તનથી પૃથ્વીની સૌથી દૂર આવેલા ગ્લેશિયર પ્રભાવિત છે ? આ શોધનું સંચાલન કરનારા યુનિવર્સિટી ઓફ મેનમાં જળવાયુ પરિવર્તન સંસ્થાના નિર્દેશક પોલ મેવેસ્કીએ કહ્યું કે, આ સવાલનો જવાબ છે હા અને ખાસ કરીને 1990ના દશકના અંતથી તે શરૂ થયું.
25 વર્ષમાં પિઘળો ગયો 180 ફૂટ બરફ
શોધકર્તાએ કહ્યું કે, પરિણામો ફક્ત એ વાતની પુષ્ટિ નથી કરતા પણ માનવ પ્રેરિત જળવાયુ પરિવર્તન પૃથ્વીના હાઈએસ્ટ પોઈન્ટ પર પહોંચી ગયું છે. પણ આ તે મહત્વપૂર્ણ સંતુલનને પણ બાધિત કરી રહ્યું છે, જે બરફથી ઢંકાયેલ પરત આપે છે. શોધથી જાણવા મળે છએ કે, બરફનું પિધળવાનું 1950ના દાયકાથી શરૂઆતમાં શરૂ થયું અને પણ 1990ના દાયકા બાદ બરફનું નુકસાન સૌથી ઝડપથી થઈ રહ્યું છે. એક વાર જ્યારે ગ્લેશિયરનો બરફ ઉજાગર થઈ ગયો તો, ફક્ત 25 વર્ષમાં તે લગભગ 55 મીટર સુધી પિઘળી ગયો.