12માં આઈસીસી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની આખરે જાહેરાત કરી દેવામાં આવી છે. મુંબઇમાં સોમવારનાં રોજ 15 સભ્યોની ભારતીય ટીમને 'ક્રિકેટનાં મહાસાગર' માટે પસંદ કરાઈ. અખિલ ભારતીય પસંદગી સમિતિએ આ ટીમની જાહેરાત કરી છે. રિષભ પંતને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જો કે દિનેશ કાર્તિકને મોકો આપવામાં આવ્યો છે.