12માં આઈસીસી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની આખરે જાહેરાત કરી દેવામાં આવી છે. મુંબઇમાં સોમવારનાં રોજ 15 સભ્યોની ભારતીય ટીમને 'ક્રિકેટનાં મહાસાગર' માટે પસંદ કરાઈ. અખિલ ભારતીય પસંદગી સમિતિએ આ ટીમની જાહેરાત કરી છે. રિષભ પંતને આ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જો કે દિનેશ કાર્તિકને મોકો આપવામાં આવ્યો છે.
BCCIની પસંદગી સમિતિનાં અધ્યક્ષ MSK પ્રસાદે કહ્યું કે, મોટી મોટી મેચોમાં વિકેટકીપિંગનાં અનુભવને કારણ કાર્તિકની પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડકપ-2019 ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 30 મેંથી 14 જુલાઇ સુધી રમશે. BCCIએ ખેલાડીઓનાં નામોની જાહેરાત પોતાનાં ટ્વિટર હેન્ડલ પર કરી છે કે જેને જેને વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું છે.
30મેંથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઈ રહ્યો છે, જે માટે ભારતીય ટીમની પસંદગી કરી દેવામાં આવી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી હાલમાં IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહેલ છે. RCBની આજે મુંબઇ ઇન્ડિયન્સ સામે મુંબઇમાં જ મેચ છે. વર્લ્ડકપની વાત કરીએ તો મહત્વનું છે કે તેનાં માટે ટીમમાં મોટાં ભાગનાં નામ તો નક્કી જ હતાં. જો કે આખરે આ નામો પર અંતિમ મહોર મારી દેવામાં આવી છે.
Indian team for World Cup: Virat, Rohit, Shikhar, KL Rahul, Vijay Shankar,
Dhoni,Kedar Jadhav,Dinesh Kartik,Y Chahal,Kuldeep Yadav, Bhuvneshwar, Bumrah ,Hardik Pandya, Jadeja, Mohd Shami pic.twitter.com/rf1fQbRuJ8
વિશ્વકપનું આયોજન 30 મેંનાં રોજ ઇંગ્લેન્ડમાં યોજાવાનું છે અને ઇંગ્લેન્ડ જ એ જગ્યા છે કે જ્યાં ભારતે પહેલી વાર 1983માં કપિલ દેવની કેપ્ટનશિપમાં વિશ્વકપ જીતીને ઇતિહાસ સર્જ્યો હતો. ભારતે બીજી વાર 2011માં પોતાની મેજબાનીમાં આ પુરસ્કાર પોતાને નામ કર્યો હતો. જો કે છેલ્લાં કેટલાંય સમયથી ટીમ સંયોજનને લઇને પસંદકારોમાં અસ્તવ્યસ્ત હતી ત્યારે આખરે કેપ્ટન વિરાટ કોહલી અલગ-અલગ સીરીઝમાં વિભિન્ન સંયોજનોને લઇને પ્રયોગ કરી ચૂકેલ છે કે જેમાં મધ્યક્રમમાં ચોથા નંબરનાં બેટ્સમેનને લઇને સ્થિતિ હજી સુધી સ્પષ્ટ નથી.