વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની મેચ પર વરસાદનું ગ્રહણ લાગ્યું હતું. જેના કારણે આજની રમત મોકૂફ રાખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજે વર્લ્ડ કપનો 18મો મુકાબલો હતો. જે મોસમ ખરાબ હોવાને કારણે રદ્દ કરવામાં આવેલ.
આપને જણાવી દઇએ કે, ભારતીય સમય અનુસાર 7.30 કલાકે મેચ રદ્દ થવા અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ. વરસાદને કારણે જ ટોસ ઉછાળ્યા વગર મેચ રદ્દ કરવામાં આવી હતી. આ સાથે જ બંન્ને ટીમ વચ્ચે 1-1 અંક આપવામાં આવ્યો હતો.
UPDATE - Next inspection at 11.30 AM local time.#CWC19
ઉલ્લેખનીય છે વરસાદ બંધ થતા કહેવાઇ રહ્યુ છે કે અમ્પાયર ભારતીય સમયાનુસાર 3.30 વાગે મેદાનનું નિરીક્ષણ કરવાના હતા, જોકે ફરી વાતાવરણ બગડતા હજુ સ્થિતિ સ્પષ્ટ નથી થઇ રહી, જોકે અત્યાર સુધી વરસાદના બંધ થતા લાગી રહ્યુ છે કે 50 ઑવરની મેચ તો નહી રમાય.
ટૂર્નામેન્ટમાં માત્ર ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ એવી 2 ટીમ છે જેમણે અત્યાર સુધી હારનો સામનો નથી કરવો પડ્યો.એવામાં આજે જોવાનું રહેશે કે ટીમની જીત પર બ્રેક વાગી શકે છે. જોકે ગત થોડા દિવસોમાં અહીંયા સતત વરસાદ પડી રહ્યો છે જેનાથી મેચ રદ્દ થઇ રહી છે. એવામાં આજે પણ મેચ રદ્દ થઇ શકે છે, જોકે જોવાનું રહ્યુ કે મેચ રમાશે કે નહી અને રમાશે તો કેટલી ઑવર રમાશે.