ICC વર્લ્ડકપ 2019માં ભારતીય ક્રિકેટ ટીમની આજે બાંગ્લાદેશ સામે ટક્કર છે. આ મેચ આજે એબેસ્ટન ક્રિકેટ મેદાનમાં રમાશે. હજુ સુધી પોતાના શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ભારતીય ટીમને પોતાની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડ સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
વર્લ્ડકપમાં બાંગ્લાદેશ એક એવી ટીમ છે જેના પ્રદર્શનની આશા દરેક લોકોએ કરી હતી પરંતુ જેવી રીતે આ એશિયાની ટીમ રમી રહી છે તેનાથી બધા લોકો હેરાન થઇ ગયા છે. જો કે બાંગ્લાદેશ સામેની આજની મેચમાં અંતિમ ઇલેવનમાં કેદાર જાદવની જગ્યાએ સૌરાષ્ટ્રના રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના છે.
બાંગ્લાદેશની મેચ સામે ભારતે સતર્ક રહેવું પડશે. જો કે ભારતને સેમિફાઇનલમાં પહોંચવા માટે માત્ર એક પોઇન્ટની જરૂરિયાત છે પરંતુ જો બાંગ્લાદેશ સામે ભારતનો પરાજય થશે તો હવે પછીની શ્રીલંકા સામેને મેચ ભારત માટે કરો યા મરો જેવો જંગ રહેશે.
બાંગ્લાદેશની ટીમ એવી છે કે કોઇપણ ટીમને પરાજય આપી ઉલટફેર કરી શકે છે. 2007ના વર્લ્ડકપમાં આ જ ટીમે ભારતને હરાવી પ્રારંભિક દોડથી બહાર કરી દીધું છે. આમ મધ્યમ ક્રમના બેટસમેનોના ફોર્મથી પરેશાન ભારત અંતિમ ઇલેવનમાં ફેરફાર કરે તેવી શક્યતા છે.
આમ જો ભારત આજની મેચ જીતી જશે તો વર્લ્ડકપ 2019ની સેમિફાઇનમાં જગ્યા નિશ્ચિત થઇ જશે. જ્યારે બાંગ્લાદેશે સેમિફાનલમાં પોતાનું સ્થાન નક્કી કરવા માટે પોતાની બંને મેચ જીતવી પડે.