વર્લ્ડ કપ ટીમની જાહેરાત કરવાની છેલ્લા તારીખ 25 એપ્રિલ છે, પરંતુ બીસીસીઆઇએ આઠ દિવસ પહેલા જ ટીમની જાહેરાત કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતની 15 સભ્યની વિશ્વ કપ ટીમની પસંદગી 15 એપ્રિલે મુંબઇમાં કરવામાં આવશે. પ્રશાસકોની સમિતિ અને પદાધિકારીઓએ સોમવારે એક બેઠક દરમિયાન આ નિર્ણય કર્યો.
વિશ્વ કપ ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ 23 એપ્રિલ છે, પરંતુ બીસીસીઆઇએ આઠ દિવસ પહેલા જ ટીમની જાહેરાત કરવાનો નિર્ણય કર્યો છે. વિશ્વ કપ 30 મે થી ઇંગ્લેન્ડમાં રમાશે.
ભારતીય ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી સહિત ઘણા ખેલાડીઓની જગ્યા નક્કી છે, તો બીજા બાજુ કેટલાક એવા ખેલાડી છે, જેમને આશા હશે કે પસંદગીકર્તા એમની પર ભરોસો રાખશે. ટીમમાં નંબર 4 ને લઇને ખૂબ માથાકૂટ થઇ રહી છે અને પસંદગીકર્તા ઋષભ પંત અને અંબતિ રાયડૂ પર ભરોસો કરી શકે છે.
વિજય શંકરે પણ છેલ્લા કેટલાક મહિનામાં જોરદાર પ્રદર્શન કર્યું છે એટલા માટે એને જગ્યા આપવામાં આવી શકે છે.
ટીમમાં ચૌથા બોલરની જગ્યા પણ ખાલી છે અને આઇપીએલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે શાનદાર પ્રદર્શન કરી રહેલા નવદીપ સૈની પણ પસંદગીકર્તાઓની નજરમાં આવશે. ટૂર્નામેન્ટ માટે ટીમની પસંદગી કરતા પહેલા કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને પણ પૂછવામાં આવશે.