બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીમ ઇન્ડિયાની એન્ટ્રી માટે પાકિસ્તાનની જીત જરૂરી? સમજો T20 વર્લ્ડકપ સેમિ ફાઇનલનું રસપ્રદ સમીકરણ
Last Updated: 12:11 PM, 14 October 2024
હાલમાં UAEમાં ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 રમાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય મહિલા ટીમની શરૂઆત સારી રહી ન હતી અને ગઇકાલે છેલ્લી ગ્રુપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 રને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ હવે ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં પહોંચશે કે નહીં લોકો આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છે.
ADVERTISEMENT
A valiant knock from Captain Harmanpreet Kaur 👏👏#TeamIndia came close to the target but it's Australia who win the match by 9 runs in Sharjah.
— BCCI Women (@BCCIWomen) October 13, 2024
📸: ICC
Scorecard ▶️ https://t.co/Nbe57MXNuQ#T20WorldCup | #INDvAUS | #WomenInBlue pic.twitter.com/jBJJhjSzae
તેની છેલ્લી ગ્રુપ મેચમાં હાર છતાં ભારતીય ટીમ હજુ પણ સેમીફાઈનલની રેસમાં છે તેથી ચાહકોએ નિરાશ થવાની જરૂર નથી. જો કે, હવે વસ્તુઓ ભારતના હાથમાં નથી અને તેણે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે. હવે પ્રશ્ન એ છે કે ઓસ્ટ્રેલિયા સામે હારવા છતાં ભારતીય ટીમ કેવી રીતે સેમિફાઇનલમાં જગ્યા બનાવી શકે છે.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાના ગ્રુપમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સિવાય દરેકે ચાર-ચાર મેચ રમી છે. ઓસ્ટ્રેલિયાએ સતત ચાર જીત અને 8 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. બીજા અને ત્રીજા સ્થાને રહેલા ભારત અને ન્યુઝીલેન્ડના 4-4 પોઈન્ટ છે જ્યારે પાકિસ્તાન 2 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. આવી સ્થિતિમાં ભારતની નજર હવે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર રહેશે.
All eyes on the final game of Group A 👀
— ICC (@ICC) October 14, 2024
More 👉 https://t.co/Ds2M5udzF7#T20WorldCup | #WhateverItTakes pic.twitter.com/S6tEvgWdBF
જો 14 ઓક્ટોબરે એટલે કે આજે યોજાનારી મેચમાં ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન સામે હારી જાય છે તો ભારત સેમીફાઈનલમાં પહોંચી જશે, કારણ કે ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ પણ ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ ન્યૂઝીલેન્ડ કરતા સારો છે. જોકે, ભારતે એ પણ જોવું પડશે કે પાકિસ્તાન મોટા માર્જિનથી જીતી ન જાય, કારણ કે જો આમ થશે તો પાકિસ્તાનની ટીમ બીજા સ્થાને આવી જશે અને તે સેમિફાઇનલમાં પહોંચી જશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. જે બાદ ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 142 રન જ બનાવી શક્યું હતું અને ટીમ ઈન્ડિયા આ મેચ પણ હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ પણ ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT