ટી-20 વર્લ્ડ કપ 2021 આ મહિનાની 17 તારીખથી યુએઈ અને ઓમાનમાં રમવામાં આવશે. આ મોટી ટુર્નામેન્ટ 5 વર્ષના લાંબા ગાળા બાદ ફરીથી રમાઈ રહી છે. વર્લ્ડ કપ શરૂ થતાં પહેલાં આઈસીસીએ ક્રિકેટના નિયમોમાં એક મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે.
ICCએ ક્રિકેટના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો
બેટ્સમેન શબ્દને બેટર્સ કરી નાખવામાં આવશે
આઈસીસીની રમતમાં આ ફેરફાર જોવા મળશે
બદલાશે આ નિયમ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે (આઈસીસી) ગુરૂવારે કહ્યું કે આવતા મહિનાથી શરૂ થઇ રહેલા ટી-20 વિશ્વ કપમાં બેટ્સમેનની જગ્યાએ બેટર્સનો ઉપયોગ કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં મેરિલબોન ક્રિકેટ ક્લબે જાહેરાત કરી છે કે ક્રિકેટના નિયમોમાં બેટ્સમેન શબ્દને બેટર્સ કરી નાખવામાં આવશે. આ ફેરફાર હવે આગળ વધીને દરેક આઈસીસીની રમતમાં જોવા મળશે. આ નિયમ પર પહેલાં ખૂબ ચર્ચા કરવામાં આવી છે.
કોમેન્ટ્રીમાં પણ લેવામાં આવે છે આ શબ્દ
આઈસીસીએ કહ્યું કે છેલ્લાં ચાર વર્ષોમાં બેટ્સમેન શબ્દનો પ્રયોગ ઓછો થઇ ગયો છે. કોમેન્ટ્રી અને બ્રોડકાસ્ટર પણ હવે વધુ બેટર્સ શબ્દનો ઉપયોગ કરે છે. આઈસીસીના કાર્યવાહક સીઈઓ જ્યોફ એલાર્ડિસે કહ્યું કે એમસીસીના રમતના નિયમોમાં બેટર્સને જોડવાનું સ્વાગત કરીએ છીએ. એલાર્ડિસે એક નિવેદનમાં કહ્યું, છેલ્લાં ઘણાં સમયથી ચેનલો અને કોમેન્ટ્રીમાં બેટર્સ શબ્દનો ઉપયોગ કરાઈ રહ્યો છે અને અમે તેને ક્રિકેટના નિયમોમાં લાગુ કરવાના એમસીસીના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.
ક્રિકેટ પર પડશે મોટી અસર
એલાર્ડિસે એવુ પણ કહ્યું છે કે આ એક નાનો ફેરફાર છે, પરંતુ તેની ક્રિકેટ પર મોટી અસર પડશે. કારણકે તેને રમત તરીકે જોવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ટી-20 વર્લ્ડ કપ આઈપીએલ બાદ યુએઈમાં શરુ થશે. આઈપીએલની ફાઈનલ 15 ઓક્ટોબરે રમાશે. ભારત વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચમાં 24 ઓક્ટોબરે પાકિસ્તાનનો સામનો કરશે.