દક્ષિણ આફ્રિકાની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઇ ચુકી છે ત્યારે પાકિસ્તાન પાસે સેમીફાઈનલમાં પહોચવાનો મોકો વધુ પ્રબળ બન્યો. ત્યારે ફાઈનલમાં ભારત અને પાકિસ્તાન આવવાની શું સંભાવના છે જાણો..
ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ થવાની સંભાવના
દક્ષિણ આફ્રિકાની ટીમ સેમીફાઈનલમાંથી બહાર થઇ
ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ પહોચ્યું સેમીફાઈનલમાં
દક્ષિણ આફ્રિકાની ટીમ ફરી એકવાર 'ચોકર્સ' સાબિત થઈ. તે રવિવારે સવારે એડિલેડના ઓવલ મેદાન પર રમાયેલી સુપર-12 રાઉન્ડની મેચમાં નેધરલેન્ડ્સની સામે હારીને T20 વર્લ્ડ કપ-2022માંથી બહાર ફેંકાઈ ગઈ હતી. જોકે નેધરલેન્ડ પણ આ વૈશ્વિક ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. જેના લીધે ભારતીય ટીમને ફાયદો થયો અને સેમિફાઇનલની ટિકિટ મળી. ચાહકો હવે ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર પણ કદાચ જોઈ શકશે.
આફ્રિકા એડિલેડમાં હારી ગયું
ટેમ્બા બાવુમાની આગેવાની હેઠળની દક્ષિણ આફ્રિકાની ટીમ સુપર-12 રાઉન્ડની છેલ્લી મેચ હારી ગઈ હતી. નેધરલેન્ડની પણ સફર પણ પૂરી થઇ. બાવુમાએ ટોસ જીતીને નેધરલેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. નેધરલેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 158 રન બનાવ્યા હતા, જે બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ 8 વિકેટના નુકસાન પર 145 રન જ બનાવી શકી હતી. કોલિન એકરમેનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, જેણે 26 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 41 રનની અણનમ ઇનિંગ રમી હતી.
એકરમેન અને ગ્લોવર
માયબર્ગ (37) અને મેક્સ ઓડ (29)એ નેધરલેન્ડને સારી શરૂઆત અપાવી હતી. બંનેએ 58 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ત્યારબાદ ટોમ કૂપર (35) અને ઓ'ડાઉડે બીજી વિકેટ માટે 39 રન જોડ્યા હતા. કૂપરે તોફાની બેટિંગ કરી અને 19 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. એકરમેન 41 રને અણનમ પરત ફર્યો હતો. તેના અણનમ 41 રનના કારણે નેધરલેન્ડ 150નો સ્કોર પાર કરી શક્યું હતું. કેશવ મહારાજે 2 વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી રિલે રોસોએ સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. બ્રાંડન ગ્લોવરે 3 જ્યારે બાસ ડી લીડે 2 વિકેટ ઝડપી હતી.
ભારતની એક મેચ બાકી
ભારતીય ટીમના હાલમાં 4 મેચમાં 6 પોઈન્ટ છે અને તે ગ્રુપ 2માં ટોપ પર છે. આ સાથે તેણે સેમિફાઇનલની ટિકિટ કાપી લીધી છે. તેનો મુકાબલો ઝિમ્બાબ્વે સાથે થવાનો છે પરંતુ વરસાદ અને ખરાબ હવામાનને કારણે મેચ રદ્દ થશે તો પણ ભારત ટોપ પર રહીને જ ક્વોલિફાય થશે. નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વે પણ આ ગ્રુપમાંથી બહાર થઈ ગયા છે.
બાબર આઝમની ટીમને જીતની જરૂર છે
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે T20 વર્લ્ડ કપનો સુપર-12 રાઉન્ડ આજે એડિલેડ ઓવલ મેદાન પર રમાશે. જો બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ બાંગ્લાદેશને હરાવે છે તો તેને સેમિફાઇનલની ટિકિટ પણ મળી જશે. તે જ સમયે, જો બાંગ્લાદેશ જીતે છે, તો શાકિબ અલ હસનની કપ્તાની હેઠળની ટીમને ગ્રુપમાં નંબર-2 પર રહીને આગામી રાઉન્ડમાં પ્રવેશ મળશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અથડામણની સંભાવના ?
આ માટે સૌથી પહેલા પાકિસ્તાની ટીમે બાંગ્લાદેશ સામે જીત નોંધાવીને સેમીફાઈનલની ટિકિટ કાપવી પડશે. પછી ગ્રુપમાં ટોચ પર રહીને માત્ર ભારત અને પાકિસ્તાન જ આગળના રાઉન્ડમાં પહોંચશે. આ પછી, બંને ટીમોએ સેમિફાઇનલમાં પોતપોતાના વિરોધીઓને હરાવવા પડશે. તમને જણાવી દઈએ કે ગ્રુપ-1માં ન્યૂઝીલેન્ડ ટોપ પર હતું જ્યારે ઈંગ્લેન્ડ બીજા નંબર પર હતું. બંનેને 7-7 માર્કસ છે. ન્યુઝીલેન્ડ 9 નવેમ્બરે સેમીફાઈનલ રમશે જ્યારે ઈંગ્લેન્ડ 10 નવેમ્બરે સેમીફાઈનલ રમશે.