ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી
ટી-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઈમાં રમાશે
ફાઇનલ ૧૪ નવેમ્બરે યોજાશે.
બુધવારે મુંબઈમાં મુખ્ય પસંદગીકાર ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિની બેઠકમાં ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી હતી. ટી-20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઈમાં રમાશે. ફાઇનલ ૧૪ નવેમ્બરે યોજાશે.
17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં રમાશે ટી-20 વર્લ્ડ કપ
ટી-20 વર્લ્ડ કપનું આયોજન 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં થશે. ફાઈનલ મેચ 14 નવેમ્બરના રોજ રમાશે. ટીમ ઈન્ડીયા 24 ઓક્ટોબરથી તેના અભિયાનની શરુઆત કરશે. કોહલી એન્ડ કંપનીની પહેલી મેચ પાકિસ્તાન સામે થશે.
મહેન્દ્રસિંહ ધોની મેન્ટરની ભૂમિકા ભજવશે
17 ઓક્ટોબરથી શરુ થનાર ટી-20 વર્લ્ડ કપ ટીમ ઈન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની મેન્ટરની ભૂમિકા ભજવશે. બીસીસીઆઈના ઓનેનરી સેક્રેટરી જય શાહે જણાવ્યું કે આ વર્લ્ડ કપમાં ધોની મેન્ટર (માર્ગદર્શક)ની ભૂમિકામાં રહેશે.
ટુર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં 8 ક્વોલિફાઇંગ ટીમો ભાગ લેશે. આમાંથી ચાર ટીમો સુપર 12 રાઉન્ડમાં પ્રવેશ કરશે. પ્રાથમિક રાઉન્ડમાં 8 ટીમોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામિબિયા, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિનીનો સમાવેશ થાય છે.
ટી-20 વર્લ્ડ કપમાં ભારતને અપાયું સુપર 12નું ગ્રૂપ-2 નું સ્થાન
ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનની સાથે ભારતને સુપર 12નું ગ્રૂપ-2 સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રૂપ-1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. દરેક જૂથની બે ટીમો ક્વોલિફાઇંગ રાઉન્ડથી આ બંને જૂથોમાં જોડાશે.