પાકિસ્તાનને ICCની વિવાદ નિવારણ સમિતિએ ફટકાર આપી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે BCCI સામે 500 કરોડ રૂપિયાનો દાવો કર્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે MOUના ઉલ્લંઘનનો દાવો કર્યો હતો. પાકિસ્તાન મુજબ 2015થી 2023 સુધીમા ભારત-પાક વચ્ચે 6 દ્વિપક્ષીય સિરીઝ રમવાનો કરાર થયો હતો.
જોકે ભારતે પાક સાથે દ્વિપક્ષીય સિરીઝ રમાવ પર પ્રતિબંધ લગાવતા પાકે દાવો કર્યો હતો. તેના BCCIએ જવાબમાં જણાવ્યું હતું કે અમે આ કથિત MOUને માનવા માટે બંધાયેલા નથી. જેને લઈને ICCની કમિટીએ પાકિસ્તાનને ફટકાર આપતા તેનો દાવો રદ કર્યો છે.
પાકિસ્તાનના દાવા મામલે ICCના હેડક્વાટર્સ પર સુનાવણી થઈ હતી. જેમાં ભાતર તરફથી પૂર્વ વિદેશમંત્રી સલમાન ખુર્શિદે દલિલો કરી હતી. સલમાન ખુર્શિદે જણાવ્યું હતું કે સુરક્ષાને લઈને ક્રિકેટ રમવાની મનાઈ ફરમાવી હતી.
મહત્વનું છે કે સલમાન ખુર્શિદ તત્કાલિન UPA સરકારના વિદેશમંત્રી હતા. પાકિસ્તાન વિરુદ્ધ દલિલ કરવામાં BCCI તરફથી BCCIના CEO રાહુલ જોહરીએ પણ કાયદાકીય મદદ કરી હતી.