આતંરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ એક નવો પ્રસ્તાવ આપ્યો છે કે 50 ઓવરના વર્લ્ડ કપ (World Cup) દર ત્રણ વર્ષે આયોજીત કરવામાં આવે. હાલ વર્લ્ડ કપ દર ચાર વર્ષે એકવાર આયોજીત કરવામાં આવે છે. જોકે, આ પ્રસ્તાવને પૂર્ણ સભ્યોનું સમર્થન મળ્યું નથી. જેમા ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ સામેલ હતા. પૂર્ણ સભ્ય દેશોના પ્રમુખ કાર્યકારીઓની બેઠકમાં આ પ્રસ્તાવનું સમર્થન કરવામાં ન આવ્યું.
ઇંગ્લેન્ડ અને વેલ્સની યજમાનીમાં ચાલી રહેલા વર્તમાન વર્લ્ડ કપમાં મળી રહેલા આકર્ષણથી નિરાશ સ્ટેકહોલ્ડર્સ ઇચ્છે છે કે આઇસીસી પોતાનું મોટા ભાગનું ધ્યાન ટી-20 ટૂર્નામેન્ટમાં લગાવે, જેને વૈશ્વિક સ્તરે સ્વીકાર કરવામાં આવી રહી છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ મુજબ, સ્થાયી સભ્યો આ પ્રસ્તાવથી ખુશ નથી. એમને સલાહ આપી છે કે વિશ્વ કપ ચાર વર્ષમાં યોજવામાં આવવા છતા લોકોને આકર્ષી રહ્યું નથી. એવામાં જો ત્રણ વર્ષમાં તેની યજમાનીનો કોઇ ફાયદો નથી. એના કરતા આઇસીસીએ વર્લ્ડ ટી-20 પર વધારે ધ્યાન આપવું જોઇએ, જેને લોકો વધારે સ્વીકારી રહ્યા છે.
સૂત્રો અનુસાર, 'આઇસીસીના પ્રસ્તાવને સમર્થન ન મળવાનો અર્થ છે કે, ટી-20 ક્રિકેટનો આઇડીયા આગળ વધશે, જેને વૈશ્વિક સ્તરે ઓળખ મળી રહી છે.' રિપોર્ટ અનુસાર, 'દ્વિપક્ષીય ક્રિકેટ ઉપરાંત એ જોવા મળી રહ્યું છે કે દર સિઝન સાથે સ્ટેકહોલ્ડર્સને માત્ર ગ્લોબલ ટૂર્નામેન્ટથી નફો મળી રહ્યો છે. અને ટી-20 ઇવેન્ટ છે.
આઇસીસીએ દર ત્રણ વર્ષે એકવાર વર્લ્ડ કપ આયોજિત કરવા પાછળનું કારણ જણાવ્યું. આઇસીસી ઇચ્છે છે કે દર વર્ષે એક ગ્લોબલ ઇવેન્ટ યોજવામાં આવે. 50 ઓવરનો વર્લ્ડ કપ, વર્લડ ટી-20 અને મહિલાઓનો વર્લ્ડ કપ હાલના સમયે ટોચની ઇવેન્ટ્સ છે. સૂત્રોએ આઇસીસીની યોજના બતાવતા કહ્યું કે, 'દર વર્ષે એક ઇવેન્ટ યોજવાનો આઇડિયા છે. તેની પાછળનું કારણ સ્ટેકહોલ્ડર્સ માટે નિરંતરતા રાખવાનું છે પછી તે બ્રોડકાસ્ટર્સ હોય કે પછી સ્પોન્સર્સ.