સતત ક્રિકેટ રમીને ખેલાડીઓ નારાજગી વ્યક્ત કરી હોય તેવું ઘણીવાર બન્યું છે. ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ પણ આડકતરી રીતે સતત સતત ક્રિકેટ રમવા પર સવાલો ઉભા કર્યા હતા. જોકે હવે માત્ર નારાજગી જ નહીં વિશ્વ સર્વશ્રેષ્ઠ ક્રિકેટરમાં એક ડેવિડ વોર્નર સતત મેચ રમવાના કારણે સંન્યાસ લઇ શકે છે. નોંધનીય છે કે સતત ક્રિકેટ રમવાથી ખેલાડીઓને આરામ માટે સમય નથી મળતો અને જેને લીધે શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર પણ થાય છે.
આઈસીસી વધુ એક ટૂર્નામેન્ટને સામેલ કરવાની કરી રહ્યું છે તૈયારી
પહેલેથી જ સતત મેચ રમતા ખેલાડીઓને લાગશે ઝટકો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સંન્યાસનું પ્રમાણ પણ વધે તેવા એંધાણ
વિશ્વભરના વિવિધ ખેલાડીઓ પોતાની ટીમને જીત અપાવા માટે તનતોડ મહેનત કરે છે. પરંતુ હાલમાં વધુ ક્રિકેટ રમવાના કારણે કંટાળ્યા હોય તેવું લાગી રહ્યું છે. ટૂંક સમય પહેલા ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ પણ ઈશારા ઈશારામાં વધુ પડતી મેચ રમાવા પર નારાજગી નોંધાવી હતી. ક્રિકેટર્સ સતત મેચ રમે છે જેને લીધે ખેલાડીઓ ઈજાગ્રસ્ત પણ થઇ રહ્યા છે સાથે જ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. ત્યારે હવે વિશ્વના એક દિગ્ગજ ક્રિકેટર તરીકે જેનું નામ આવે છ એતે ખેલાડી સતત ક્રિકેટથી કંટાળીને સંન્યાસ લઇ શકે છે. એવામાં ડેવિડ વોર્નર ટી 20 ક્રિકેટ ફોરમેટમાંથી સંન્યાસ લઇ શકે છે.
હાલમાં ખેલાડીઓએ વર્લ્ડ કપ, ટી 20 લીગ અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય સીરીઝ પણ રમવાની રહે છે એવામાં આઈસીસીએ ખેલાડીઓને વધુ એક ઝટકો આપ્યો છે. આઈસીસીનાં નવા પ્રસ્તાવમાં દરવર્ષે મહિલા અને પુરુષ ક્રિકેટમાં મોટી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. જો આ પ્રસ્તાવ લાવવામાં આવે છે તો મોટા ભાગના ખેલાડીઓ તેનો બહિષ્કાર કરી શકે છે. એવામાં ખેલાડીઓ ઇન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઇ ટી 20 લીગ તરફ જઈ શકે છે.
આઈસીસીએ ગયા વર્ષે પણ આ જ પ્રકારનો પ્રસ્તાવ મુક્યો હતો જે અનુસાર વર્ષ 2024 અને 2028માં ટી 20 ચેમ્પિયંસ કપ, વર્ષ 2025 અને 2029માં વન ડે ચેમ્પિયંસ કપ કરવામાં આવશે. સાથે જ વર્ષ 2026 અને 2030માં ટી 20 વર્લ્ડ કપ જયારે 2027 અને 2031માં વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. એવામાં ટોમ મોફ્ફાટનું માનવું છે કે વધુ પડતી ચેમ્પિયંસ મેચના કારણે વર્લ્ડકપનું મહત્વ ઘટી શકે છે. તેમનું માનવું છે કે ક્રિકેટ કેલેન્ડર સુધાર્યા વગર તેમાં વધુ એક ટૂર્નામેન્ટ ઉમેરી દેવાથી કોઈ ફાયદો નથી થવાનો.