આઈસીસીના તાજા રેન્કિંગમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓને ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી સિવાય રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને પણ નુકસાન થયુ છે.
ICCના રેન્કિંગમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓને લાગ્યો ઝટકો
વિરાટ કોહલી સિવાય રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને પણ થયુ નુકસાન
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ રેન્કિંગમાં પહેલા સ્થાને
શ્રેણી જીતી પણ ભારતીય ખેલાડીઓને ICC રેન્કિંગમાં થયુ નુકસાન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી વન-ડે શ્રેણી બાદ આઈસીસીનુ તાજુ રેન્કિંગ જાહેર થયુ છે. શ્રેણી જીતવા છતા ભારતીય ખેલાડીઓને આઈસીસી રેન્કિંગમાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે. અંતિમ વન-ડે નહીં રમી શકનારા જસપ્રીત બુમરાહ હવે વન-ડેમાં નંબર વન બોલર રહ્યાં નથી. બુમરાહની જગ્યા ટ્રેન્ટ બોલ્ટે લઇ લીધી છે. આ સાથે 2015 બાદથી પહેલી વખત વિરાટ કોહલી વન-ડે ક્રિકેટા ટોપ ત્રણ બેટરોની યાદીમાંથી બહાર થયા છે.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ રેન્કિંગમાં પહેલા સ્થાને
ઈંગ્લેન્ડ સામે પહેલી વન-ડેમાં શાનદાર સદી ફટકારનારા વેન ડર ડુસેનને આઈસીસીના તાજા રેન્કિંગમાં ફાયદો થયો છે. ડુસેન પહેલી વખત ટૉપ ત્રણ બેટરોમાં સામેલ થયો છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ રેન્કિંગમાં પહેલા સ્થાને યથાવત છે. ઈમામ ઉલ હક પણ રેન્કિંગમાં મજબૂતીની સાથે બીજા સ્થાને ટક્યા છે.
પંડ્યા અને પંતને પણ થયો ફાયદો
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 2011થી વન-ડે ક્રિકેટના ટૉપ 5 બેટરોની યાદીમાંથી બહાર થયા નથી. જો કે, વિરાટ કોહલીને એક ક્રમનુ નુકસાન થયુ છે અને તેઓ ચોથા સ્થાને આવી ગયા છે. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને પણ રેન્કિંગમાં એક સ્થાનનુ નુકસાન થયુ છે. રોહિત શર્મા અત્યારે પાંચમા સ્થાને પહોંચી ગયા છે.