આઈસીસીના વન-ડે રેન્કિંગમાં આ વખતે ઘણો ફેરફાર જોવા મળવાનો છે. ટૉપ 10ના ઓછામાં ઓછા બે ખેલાડીઓ પર જોખમ દેખાઈ રહ્યું છે.
આઈસીસીના વન-ડે રેન્કિંગમાં આ વખતે થશે ફેરફાર
શુભમન ગિલને મળશે મોટુ ઈનામ
ટીમ ઈન્ડિયાના ત્રણ ખેલાડીઓની થશે એન્ટ્રી
આજે આવશે આઈસીસીનુ રેન્કિંગ
ભારતીય ટીમના નવા સ્ટાર બેટર શુભમન ગિલે ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી શ્રેણીની અંતિમ અને ત્રીજી મેચમાં પણ સદી ફટકારી છે. શુભમન ગિલ અત્યારે આક્રમક ફોર્મમાં છે. સીરીઝની પહેલી મેચમાં શુભમ ગિલે બેવડી સદી ફટકારી હતી. ઈશાન કિશન બાદ હવે શુભમન ગિલ પણ આ ખેલાડીઓની યાદીમાં સામેલ થયા છે, જેણે બેવડી સદી ફટકારી છે. આની પહેલા સચિન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને રોહિત શર્માનુ નામ તો છે જ. આ દરમ્યાન હવે શુભમન ગિલ વિશ્વના સર્વશ્રેષ્ઠ વન-ડે બેટરોની યાદીમાં આવવાના છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ બાદ બુધવારે આઈસીસીનુ રેન્કિંગ આવશે. શુભમન ગિલે આની પહેલા જ્યારે શ્રીલંકા સામે સદી ફટકારી હતી ત્યારબાદ આઈસીસીના રેન્કિંગમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. ગત રેન્કિંગ બાદ શુભમન ગિલે એક બેવડી સદી ફટકારી છે અને એક સદી પણ હવે આવી છે, એટલેકે 300થી વધુ રન.
આઈસીસીના વન-ડે રેન્કિંગમાં ટૉપ 10માં વિરાટ કોહલીનુ નામ
આઈસીસીના વન-ડે રેન્કિંગમાં અત્યારે પાકિસ્તાનના બાબર આઝમ નંબર 1ની ખુરશી પર કબજો જમાવીને બેઠા છે. બાબર આજમનુ રેટીંગ ઘણુ વધારે છે. તેઓ 887ના રેટીંગની સાથે પ્રથમ ક્રમાંકે છે. ટોપ 10 ભારતના બે ખેલાડી પહેલેથી જ છે. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ચોથા નંબરે છે, તો રોહિત શર્મા 10મા નંબરે હતા. રોહિત શર્માને જોખમ હતુ કે તેઓ ટોપ 10માંથી બહાર થઇ જશે પરંતુ આ મેચમાં તેમણે પણ 101 રનની ઈનિંગ રમી. ત્યારબાદ તેમનુ પણ ટૉપ 10માં રહેવુ લગભગ પાક્કુ છે. બની શકે છે કે રોહિત શર્મા 10 નંબરથી ઉછળીને વધુ આગળ આવે. તો વિરાટ કોહલી ભલે વધારે રન આ સીરીઝમાં ના બનાવી શકે પરંતુ તેમનુ પ્રદર્શન એટલું પણ ખરાબ નથી કે તેઓ નંબર ચારથી ટોપ 10માંથી બહાર થાય. આ દરમ્યાન જો શુભમન ગિલની વાત કરીએ તો તેમણે શ્રીલંકા સામે જ્યારે સદી ફટકારી હતી ત્યારબાદ આઈસીસીના રેન્કિંગમાં તેમને દસ સ્થાનોનો ઉછાળ મળ્યો હતો. આ સમયે તેઓ 26મા નંબરે કબજો જમાવીને બેઠા છે. હવે 300 રન બનાવ્યાં બાદ પણ ઓછામાં ઓછા 20 સ્થાનોની છલાંગ લગાવે છે તો પછી ટૉપ 10માં તેમની એન્ટ્રી લગભગ પાક્કી મનાઈ રહી છે.