આઈપીએલ-14 ની બીજા તબક્કાની મેચ 19 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર સુધી યુએઈમાં થશે. આઈપીએલ પુરી થયાના બે દિવસ બાદ એટલે 17 ઓક્ટોબરથી ટી-20 વર્લ્ડ કપનું આયોજન થશે. જોકે ટી20 વર્લ્ડ કપ શિડ્યુઅલ અંગે છેલ્લો નિર્ણય આઈસીસી લેશે.
રિપોર્ટ અનુસાર, યુએઈમાં અબુધાબી, શારજાહ અને દુબઈ યી-20 વર્લ્ડ કપની મેજબાની કરશે. તો રાઉન્ડ 1 ની મેચો ઓમાનમાં રમાશે.
20 વર્લ્ડ કપ 3 કારણથી UAEમાં શિફ્ટ થઈ શકે છે
IPL સસ્પેન્ડ થઈ હોવાથી ભારતમાં વર્લ્ડ કપનું આયોજન થવું મુશ્કેલ છે. આ ICC ટૂર્નામેન્ટ માટે BCCIએ ભારતમાં 9 વેન્યૂ પસંદ કરાયાં હતાં. આનું નિરીક્ષણ કરવા માટે ICCના અધિકારી એપ્રિલમાં કોરોનાને કારણે ભારત નહોતા આવ્યા. એપ્રિલ અને મેમાં ભારતની અંદર કોરોનાની બીજી લહેર પીક પર હતી. હવે 2021ના અંતિમ તબક્કામાં ત્રીજી લહેર આવવાનું અનુમાન છે. એવામાં ભારત દેશની અંદર IPL અને T20 વર્લ્ડ કપ થવો સંભવ નથી.
ICCએ ઘણીવાર BCCIને કહ્યું છે કે તે T20 વર્લ્ડ કપ માટે ભારત સરકારથી ટેક્સમાં છૂટ અપાવે. આ બાબતે BCCIએ હજુ સુધી કશું કર્યું નથી. આની સાથે દેશને કોરોના મહામારીને પરિણામે ઘણું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે, એવામાં સરકાર છૂટ આપવાના મૂડમાં નથી. આવી સ્થિતિમાં BCCI વર્લ્ડ કપને UAEમાં શિફ્ટ કરી શકે છે.
કોરોના મહામારી વચ્ચે IPL ભારતમાં કરવી સંભવ નથી. એથી આ લીગ પણ દેશની બહાર જ શિફ્ટ થશે.
આવી સ્થિતિમાં જો BCCI ભારતમાં T-20 વર્લ્ડ કપનું આયોજન કરશે તો ખેલાડીઓને વારંવાર દેશની અંદર પ્રવાસ કરવો પડશે. આ બધું કોરોના મહામારી વચ્ચે સંભવ નથી. બાયો-બબલ પ્રોટોકોલનું પણ પાલન કરવું પડશે. એવામાં BCCI વર્લ્ડ કપ પણ UAEમાં યોજવા માટે સજ્જ છે.