ટી-20 વર્લ્ડ કપ 2022 માટે આઈસીસીએ ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન પસંદ કરી છે.
આઈસીસીએ ભારતીય ટીમની સંભવિત પ્લેઈંગ ઈલેવન પસંદ કરી
મોહમ્મદ શમી અને રિષભ પંતને જગ્યા આપવામાં ન આવી
દિનેશ કાર્તિકને વિકેટ કીપર બેટર પસંદ કરવામાં આવ્યો
ICCએ બધી ટીમો માટે પોતાની સંભવિત પ્લેઈંગ ઈલેવન બનાવી
ટી-20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત થઇ ગઇ છે અને ટુર્નામેન્ટની પહેલી મેચ રોમાંચથી ભરપૂર હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની આ ઈવેન્ટ કુલ 16 ટીમો ભાગ લઇ રહી છે. આઈસીસીએ આ બધી ટીમો માટે પોતાની સંભવિત પ્લેઈંગ ઈલેવન બનાવી છે. આવો જાણીએ આઈસીસીએ ભારતની પ્લેઈંગ ઈલેવન કેવા પ્રકારની બનાવી છે.
શમી પંતને નથી અપાઈ જગ્યા
આઈસીસીએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ડાબોડી બેટર રિષભ પંતને જગ્યા આપવામાં ન આવી. રિષભ પંતની જગ્યાએ દિનેશ કાર્તિકને વિકેટ કીપર બેટર પસંદ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી જસપ્રીત બુમરાહની જગ્યાએ ટીમમાં સામેલ થયો છે અને એક સિનિયર બોલર તરીકે તેના ખભા પર ફાસ્ટ બોલિંગની જવાબદારી છે.
ટોપ ઓર્ડરમાં નથી થયો ફેરફાર
ટીમના ટોપ ઓર્ડરને ક્રમમાં રાખવામાં આવ્યો છે. સૌથી પહેલા ઓપનિંગ તરીકે કેપ્ટન રોહિત શર્માની સાથે કેેએલ રાહુલ દેખાશે. ત્યારબાદ નંબર ત્રણ પર વિરાટ કોહલીને બેટીંગ માટે રાખવામાં આવ્યો છે. તો મિડલ ઓર્ડરની શરૂઆત સૂર્યકુમાર યાદવથી કરવામાં આવી છે. આઈસીસીએ તેની આ ટીમમાં સ્પિનર યુઝવેન્દ્ર ચહલની સાથે ઓલરાઉન્ડર અક્ષર પટેલને પસંદ કર્યો છે. તો રવિચંદ્રન અશ્વિનને ટીમથી દૂર રાખ્યો છે.