પૂર્વ ભારતીય કેપ્ટન દિલીપ વેંગસરકરને લાગે છે કે વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા પાસે 30 મેથી બ્રિટેનમાં શરૂ થઇ રહેલો વિશ્વકપ જીતવાની સારી તક છે. ભારત પાંચ જૂનને સાઉથમ્પ્ટનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે.
પૂર્વ ભારતીય કેપ્ટન દિલીપ વેંગસરકરને લાગે છે કે વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા પાસે 30 મેથી બ્રિટેનમાં શરૂ થઇ રહેલો વિશ્વકપ જીતવાની સારી તક છે. ભારત પાંચ જૂનને સાઉથમ્પ્ટનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાના અભિયાનની શરૂઆત કરશે.
વેંગસરકરે સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ભારત પાસે વિશ્વકપ જીતવાની સારી તક છે. ઓછામાં ઓછું તે સેમીફાઇનલ સુધી જરૂર જશે, પરંતુ હું ફાઇનલ વિશેની ભવિષ્યવાળી ન કરી શકું. આપણી પાસે ઘણા પ્રતિભાશાળી ખેલાડી છે અને એ તમામ સારા ફોર્મમાં છે.
વેંગસરકર મુંબઇ ટી-20 લીગના મેન્ટોર છે. મુંબઇ ક્રિકેટ સંઘે આજે તેના બીજા સત્રની શરૂઆતની ઘોષણા કરી જે 14 મેથી શરૂ થશે. આ અવસરે લીગના દૂત સચિન તેન્ડુલકર અને મેન્ટોર સુનીલ ગાવસ્કર પણ હાજર રહ્યા હતા. તેન્ડુલકરે પણ લીગની પ્રશંસા કરી હતી. એમણે કહ્યું કે, ટી-20 મુંબઇ લીગ બહુ જલ્દી એવી લીગ બનવા જઇ રહી છે જેમાં દેશભરના મોટાભાગના ખેલાડી ભાગ લેવા ઇચ્છશે.
કેટલાક વર્ષોથી જે રીતે મુંબઇ રણજી ટ્રોફી ટીમ પ્રદર્શન કરતી રહી છે. તેને જોતા જો ખેલાડીઓને કોઇ મનપસંદ ટીમ પસંદ કરવાની તક આપવામાં આવે તો મુંબઇ રણજી ટીમનો હિસ્સો બનવા માંગતા. કેમકે અહીંની ક્રિકેટ અલગ હોય છે. અને તમામ તેનો હિસ્સો બનવા માંગે છે.
ગાવસ્કરે આયોજકોને આઇપીએલ હરાજી પહેલા લીગનું આયોજન કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે શિવમ દુબેને મુંબઇ ટી-20 લીગમાં રમ્યા બાદ આઇપીએલ સાથે કરાર કર્યો છે.
સૂર્યકુમાર યાદવને પણ સારો કોન્ટ્રાક્ટ મળ્યો અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આગળ પણ આ લીગમાં ઘણી નવી પ્રતિભાઓ સામે આવશે. જેને આઇપીએલ ફ્રેન્ચાઇઝી પોતાની ટીમોમાં સાથે સામેલ કરવા માંગશે.