પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ એ મોહમ્મદના મુખ્ય સુત્રધાર મસૂદ અઝહરનો ભાઇ ઇબ્રાહિમ અઝહર સાથે 15 પ્રશિક્ષિત આતંકીઓ પણ જોવા મળ્યાના અહેવાલ છે. એવા સમાચાર પણ આવી રહ્યા છે કે,આ તમામ 15 આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ તરફ ભારત સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને અમરનાથ યાત્રાને પણ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે.
પાકિસ્તાન સ્થિત ખૈબર પખ્ત્યુનખ્વાનો જમરુદ વિસ્તારમાં આ આતંકીઓને તાલીમ આપવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ 15 આતંકીઓ જમ્મુ કશ્મીરમાં ઘુસણખોરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
Sources: Reports of Ibrahim Azhar (JeM chief Masood Azhar's brother) resurfacing in PoK came alongside further intercepts that confirmed that a group of 15 trained JeM cadres had reached JeM camps in Markaz, Sanan Bin Salma, Tarnab Farm, Peshawar, Khyber Pakhtunkhwa... (1/2)
આપને જણાવી જણાવી દઇએ કે, જમ્મુ કશ્મીરમાં આતંકી હુમલાની આશંકાને લઈને અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. મોટા આતંકી હુમલાની સંભાવનાને લઈને સરકારે યાત્રીઓને જમ્મૂ કશ્મીર છોડવા એડવાયઝરી જાહેર કરી છે. આ સાથે જ પાકિસ્તાની બનાવટનું હથિયાર તથા IED મળી આવતા સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લનનું નિવેદન
કારણ કે, સરકારને આતંકી હુમલાના ઇનપુટ મળ્યા છે. આ સાથે જ લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ઢિલ્લનના જણાવ્યા અનુસાર અમરનાથ યાત્રાના રૂટના ચેકિંગ દરમિયાન IED અને સ્નાઇપર જેવા હથિયાર પ્રાપ્ત થયા છે. ત્યારે સરકારે યાત્રીઓને શક્ય તેટલા જલ્દી કાશ્મીર છોડવા સૂચન કર્યું છે.
ઢિલ્લને વધુમાં કહ્યું કે, પાકિસ્તાન દ્વારા અમરનાથ યાત્રાને IED ધમાકા દ્વારા નિશાન બનાવવામાં આવવાની તૈયારીઓ અંગે પણ ઇનપુટ પ્રાપ્ત થયાં છે જેને લઇને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાની બનાવટનું હથિયાર મળ્યું
સેનાના જણાવ્યા મુજબ, સર્ચ ઓપરેશન દરમિયાન પાકિસ્તાનની શસ્ત્ર ફેક્ટરીમાં આકાર પામેલ બારુદી સુરંગ પણ મળી આવી આવી છે જેના પર પાકિસ્તાનની શસ્ત્ર ફેક્ટરીનું નિશાન પણ છે.