કંપની છોડવાનું નક્કી કરી ચૂકેલા કર્મચારીને વળતર આપીને મેનેજમેન્ટ તેને મનાવી શકે છે. આ સોફ્ટવેર સારા કર્મચારીઓને કંપનીમાં રોકી રાખવાથી લઇને કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં પણ મદદ કરે છે.
જો તમે નોકરી છોડવા ઇચ્છતા હો તો ખૂબ જ જલદી સોફ્ટવેર તેની ભવિષ્યવાણી કરી દેશે. આઇટી કંપની આઇબીએમએ એવું સોફ્ટવેર બનાવ્યું છે, જે કંપનીના કર્મચારીઓ અંગે તમામ જાણકારી આપશે.
કંપનીનો દાવો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતા આ સોફ્ટવેરનાં પરિણામો ૯૫ ટકા સાચાં છે. વર્તમાનમાં કંપની તેનો ઉપયોગ પોતાના કર્મચારીઓને નોકરી છોડવાથી રોકવામાં કરે છે.
ન્યૂયોર્કમાં યોજાયેલી હ્યુમન રિસર્ચ સમિતિમાં આઇબીએમની સીઇઓ ગિન્ની રોમેટીએ આ બાબતની જાણકારી આપી છે.
ગિન્નીના જણાવ્યા મુજબ આઇબીએમ પોતાના કર્મચારીઓને નોકરી છોડવાથી રોકવામાં સફળ રહી છે. કંપનીમાં કર્મચારીઓને જાળવી રાખવાની સૌથી સારી રીત છે કે તેને બીજી જગ્યાએ જતાં પહેલાં સમજી શકાય.
આ સોફ્ટવેરમાં ખાસ પ્રકારનો ડેટા પોઇન્ટ પ્રોગ્રામ તૈયાર કરાયો છે. સોફ્ટવેર ઘણી વાતોને સમજે છે. કોઇ કર્મચારી ઓવરટાઇમ કરી રહ્યો હોય તો તેના નોકરી છોડવાની શક્યતાઓ વધુ છે. કર્મચારી દર અઠવાડિયે ૧૫ કલાક વધુ કામ કરતો હોય તો તે નોકરી છોડવાના હાઇ રિસ્કમાં છે.
કંપની છોડવાનું નક્કી કરી ચૂકેલા કર્મચારીને વળતર આપીને મેનેજમેન્ટ તેને મનાવી શકે છે. આ સોફ્ટવેર સારા કર્મચારીઓને કંપનીમાં રોકી રાખવાથી લઇને કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં પણ મદદ કરે છે.
દુનિયાભરમાં આઇબીએમ હ્યુમન રિસર્ચ ડિપાર્ટમેન્ટમાંથી ૩૦ ટકા કર્મચારીઓને હટાવવા ઇચ્છે છે, તેમાં આ સોફ્ટવેર મદદ કરશે. કંપનીએ પર્ફોર્મન્સ ટ્રેકિંગ પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે, જે કર્મચારીઓની સ્કિલ, નબળાઇ અને પ્રોજેક્ટ સાથે જોડાયેલી જાણકારી આપે છે.