કેન્દ્ર સરકારે મલયાલમ ભાષાની બે સમાચાર ચેનલોના પ્રસારણ પર શુક્રવાર (6 માર્ચ 2020) એ લગાવામાં આવેલો 48 કલાકનો પ્રતિબંધ 12 કલાકથી પણ ઓછા સમય માટે હટાવી દીધો છે. આ પ્રતિબંધ એવા સમાચાર કથિત રીતે પ્રસારિત કરવા માટે લગાવાયો હતો જે દેશમાં 'કોમી દુર્ભાવના' ને વધારી શકે છે.
પ્રકાશ જાવડેકરે કહ્યું, કેરળની બે ચેનલો પર 48 કલાક માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો
લોકતાત્રિક વ્યવસ્થા માટે પ્રેસની સ્વતંત્રતા અત્યંત જરૂરી છે : પ્રકાશ જાવડેકર
સૂચના અને પ્રસારણ મંત્રાલયના એક સૂત્રે જણાવ્યું છે કે એશિયાનેટ ન્યૂઝ પર લગાવેલો પ્રતિબંધ મોડી રાત્રે ડોઢ વાગ્યે જ્યારે મીડિયા વન પર લગાવેલો પ્રતિબંધ શનિવારે સવારે સાડા નવ વાગ્યે હટાવી લીધો હતો.
આ મામલામાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેરળની બે ચેનલો પર 48 કલાક માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અમે તાત્કાલિક તપાસ કરી કે ખરેખર શું બન્યું. ત્યારબાદ અમે તાત્કાલિક ચેનલો પરથી પ્રતિબંધ હટાવી દીધો. તેઓએ કહ્યું કે અમે માનીએ છીએ કે લોકતાત્રિક વ્યવસ્થા માટે પ્રેસની સ્વતંત્રતા અત્યંત જરૂરી છે.
સૂત્રોએ જણાવ્યું છે કે બંને ચેનલોએ મંત્રાલયને પત્ર લખીને પ્રતિબંધ હટાવવાની અપીલ કરી હતી જે બાદ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો. દિલ્હીમાં ગત મહીને સાંપ્રદાયિક હિંસા પર આપવામાં આવેલા સમાચારને લઇને આ ચેનલોના પ્રસારણ પર 48 કલાકનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. સત્તાવાર આદેશોમાં કહેવામાં આવ્યું કે આ ચેનલોએ 25 ફેબ્રુઆરીની ઘટનાઓની રિપોર્ટિંગ એ પ્રકારે કરી જેમા 'ઉપાસના સ્થળો પર હુમલાનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો અને કોઇ ખાસ ધર્મનો પક્ષ લેવામાં આવ્યો'.
મીડિયા વનને લઇને મંત્રાલયે આપેલા આદેશમાં કહેવામાં આવ્યું, દિલ્હી હિંસા પર ચેનલની રિપોર્ટિંગ પક્ષપાતપૂર્ણ લાગે છે કેમકે તેમા સંશોધિત નાગરિકતા કાયદો (CAA) ના સમર્થકો દ્વારા કરવામાં આવેલી તોડફોડ પર જાણી જોઇને તમામ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તેણે આરએસએસ પર પણ સવાલ ઉઠાવ્યા અને દિલ્હી પોલીસ પર નિષ્ક્રિયતાના આરોપ લગાવ્યા. ચેનલ દિલ્હી પોલીસ અને આરએસએસની ટીકા કરનારા પ્રતિત થઇ.