ઇન્ટેલિજેન્સ બ્યૂરોએ ગુજરાતથી જોડાયેલ પાકિસ્તાનની સરહદેથી આતંકવાદીઓ ઘૂસણખોરીનું અલર્ટ જાહેર કર્યું છે. અલર્ટ બાદ ભારત-પાકિસ્તાન બોર્ડર પર મરીન અને બોર્ડર પોલીસ તૈનાત કરી દીધી છે.
જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાનમાં ઉશ્કેરાયું છે. પ્રૉપગેન્ડા અને કૂટનીતિક તરીકે કામ ન આવવા પર તેઓ આતંકવાદીઓની ઘૂસણખોરી પણ કરાવી શકે છે. જેને ધ્યાને રાખતા કચ્છમાં ભારતની પાકિસ્તાન સાથે જોડાયેલ બોર્ડરને લઇને ટેરર અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ટેલિજેન્સ બ્યૂરોએ ગુજરાત પોલીસે આ અલર્ટ મોકલ્યું છે.
પાકિસ્તાન સતત ભારતમાં આતંકીઓને ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્યની કચ્છ બોર્ડર પર આતંકી અલર્ટ જારી કરવામાં આવ્યું છે. ખુફિયા એજન્સીઓએ ગુજરાત પોલીસને અલર્ટ રહેવા કહ્યું છે.
#Gujarat Gujarat: A terror alert has been issued by Central Intelligence Bureau to Gujarat Police about terrorist intrusion via Indo-Pak border at Kutch-Gujarat; Marine and border police deployed on these border areas. pic.twitter.com/5lBjFlZWm4
તો બીજી તરફ આતંકીઓની ઘૂસણખોરીના અલર્ટને લઈને ભારત-પાક બોર્ડ પર મરીન અને સીમા પોલીસને તૈનાત કરવામાં આવી છે. આ સિવાય પણ બોર્ડર વિસ્તારમાં રહેનારા લોકો અને માછીમારોને પણ સતર્ક રહેવા કહેવાયું છે.
સાથે જ કોઈપણ શંકાસ્પદ બોટ કે, વ્યક્તિ દેખાવા પર પોલીસને જાણ કરવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે, આગામી 15મી ઓગસ્ટને લઈને ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકી હુમલાનું અલર્ટ આપવામાં આવ્યું છે. કદાચ આ જ નાપાક ઈરાદાઓને પાર પાડવા માટે પાકિસ્તાન આતંકીઓને ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યું છે.