ગુજરાત રાજ્યના ગૃહખાતાના એડીશનલ સચિવ તરીકે સંગીતા સિંઘ નિવૃત્ત થયાં બાદ હવે તેમને વિજિલન્સ કમિશનર તરીકે તેમની નિમણૂંક કરવામાં આવી છે. તેમની જગ્યાએ રેવન્યુ વિભાગના એડીશનલ સચિવ પંકજ કુમારને ગૃહખાતાનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
સંગીતા સિંઘની વિજિલન્સ કમિશનર તરીકે નિમણૂંક
પૂર્વ અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘને વિજિલન્સ કમિશનર બનાવાયા
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ આજે નિવૃત્ત થયા
ઉલ્લેખનીય છે કે, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંઘ આજે નિવૃત્ત થયાં છે અને નિવૃત્તિના દિવસે જ રાજ્ય સરકાર દ્વારા નિમણૂંક અપાઈ છે. તેઓ સરકારની ગુડબુકમાં સ્થાન ધરાવતા હોવાથી તેમને નિવૃત્તિના દિવસે જ નવી જવાબદારી સોંપવામાં આવી છે.
સંગીતા સિંઘ બાદ પંકજ કુમાર 1986ની બેચના IAS અધિકારી
મહત્વનું છે કે, સંગીતા સિંઘ બાદ પંકજ કુમાર 1986ની બેચના IAS અધિકારી છે. ગૃહખાતાના આ પદ માટે પંકજ કુમારની સાથે સાથે ડૉ રાજીવ કુમાર ગુપ્તાનું નામ પણ રેસમાં માનવામાં આવી રહ્યું હતું, જોકે સરકારે પંકજ કુમાર પર પોતાની પસંદગી ઉતારી છે.
નોંધનીય છે કે VTVGujarati.com એ આ માહિતી સૌથી પહેલા પ્રકાશિત કરી હતી કે એડીશનલ ગૃહસચિવનો ચાર્જ પંકજ કુમારને સોંપાઈ શકે છે જેના પર હવે સરકારે પણ મહોર મારી છે.
કોરોનાકાળમાં પંકજ કુમારને સોંપાયું કામ
ગુજરાત જ્યારે કોરોના વાયરસકાળનો સામનો કરી રહ્યું છે ત્યારે કોવિડ 19ની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પંકજ કુમારને વધારાની જવાબદારી પણ આપવામાં આવી હતી. પંકજ કુમારને રાજ્યના આરોગ્ય વિભાગમાં કોરોના મામલેની કામગીરીમાં માર્ગદર્શન અને નિર્દેશની કામગીરી સોંપવામાં આવી છે.
સંગીતા સિંઘના પતિને પણ નિવૃત્તિ બાદ સોંપાઇ હતી જવાબદારી
આપને જણાવી દઇએ કે, સંગીતા સિંઘ અને તેમના પતિ સંજય પ્રસાદ પણ સરકારની ગુડબુકમાં આવતા હોવાથી જ્યારે તેઓ રિટાયર્ડ થવાના જ દિવસે જ તેમને સ્ટેટ ઇલેક્શન કમિશનર તરીકે નિમણૂંક આપવામાં આવી હતી.