કોરોનાનું સંક્રમણ વધતા સિનિયર IAS અધિકારીઓને જવાબદારી સોંપી દેવાઈ છે. જેની એક યાદી પણ જાહેર કરી છે. કોરોના સુપરવિઝન, વેક્સિનેશનની કામગીરી માટે ખાસ ઉચ્ચ અધિકારીઓને કામે લગાડ્યા છે. જિલ્લા અને મનપામાં રૂબરૂ મુલાકાત લઇ સમીક્ષા કરશે. આ અંગેનો સામાન્ય વહીવટ વિભાગે આદેશ જાહેર કર્યો છે. અમદાવાદ મનપાના કમિશ્નર રહી ચૂકેલા વિજય નહેરાને બનાસકાંઠાની જવાબદારી સોંપાઇ છે. આ સાથે એ.કે.રાકેશને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે.