અમેરિકાથી પરત ફરેલા ગુજરાત કેડરનાં 1988 બેચના IAS એસ.અપર્ણાને કેન્દ્ર સરકારમાં મહત્ત્વની જવાબદારી સોંપાઈ છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, મિનિસ્ટ્રી ઓફ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સનાં સેક્રેટરી તરીકે અપર્ણાની નિમણૂંક કરાઈ છે.
વધુ એક ગુજરાત કૅડરના અધિકારીને કેન્દ્રમાં જવાબદારી
આ અગાઉ પણ કેટલાક ગુજરાત કેડરના અધિકારીની નિમણૂંક કેન્દ્રમાં કરાઇ
મહત્વનું છે કે 1986 બેચના ગુજરાત કેડરના આઇએએસ પી.ડી.વાઘેલા 30મી સપ્ટેમ્બરે નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે આ એસ. અપર્ણા તેમની જગ્યા સંભાળશે. ઉલ્લેખનીય છે કે.એસ અપર્ણા અમેરિકા ખાતે વર્લ્ડ બેન્કમાં એક્ઝિક્યુ઼ટિવ ડિરેક્ટર પદે હતા જ્યાંથી તેઓ હવે પરત ફર્યા છે.
કોણ છે નિવૃત્ત થઈ રહેલા IAS પી.ડી વાઘેલા
વિરમગામ તાલુકાના ઉખલોડ ગામના વતની ગુજરાત રાજયના IAS અધિકારી પી.ડી. વાઘેલાની 2019માં ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ, મિનિસ્ટ્રી ઓફ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સનાં સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ હતી. 1986 બેચના IAS પી.ડી. વાઘેલા ચીમનભાઈ પટેલના શાસનમાં મુખ્યમંત્રીના ડેપ્યુટી સચિવ તરીકે રહી ચૂક્યાં છે. કંડલા પોર્ટ ટ્રસ્ટ અને નાગરિક પુરવઠા વિભાગથી લઈને ટેક્સ કમિશનર સહિત અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ 2019થી કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારમાં કામ કરી રહ્યાં હતાં. 2018માં ગુજરાતના વેચાણવેરા કમિશનર તરીકે પી.ડી. વાઘેલાને સમગ્ર દેશમાં GST જાગૃતિ અંગેની શ્રેષ્ઠ કામગીરી બદલ ઍવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. કેન્દ્રમાં ગયા પહેલા તેઓ રાજ્યના વેરા વિભાગમાં મુખ્ય કમિશનર તરીકે ફરજ બજાવતા હતા.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ એવા ગુજરાત કૅડરના અધિકારીઓ છે જેમની કેન્દ્રમાં નિમણૂક કરાઈ છે અને હાલ મહત્વના પદે કાર્યરત છે.
IAS એ કે શર્મા (IAS A K sharma)
1988 બેચના ગુજરાત કેડરના આઈએએસ અને પીએમઓમાં એ કે શર્માને સેક્રેટરી, માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના એડિશનલ સચિવ તરીકે કાર્યરત છે. PM મોદીના ખાસ ગણાતા શર્મા નરેન્દ્ર મોદીના CM કાર્યકાળ વખતે CMO સચિવ તરીકે પણ કામ કરી ચુક્યા છે. 17 વર્ષ સુધી ગુજરાતમાં તેઓ સેવા કરી ચૂક્યાં છે અને બહોળો અનુભવ ધરાવે છે. ગુજરાતમાં ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ ઓફિસરથી લઈ ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ટર ડેવલોપમેન્ટ બોર્ડના CEO સુધીની ફરજ બચાવી ચુક્યા છે એટલું જ નહીં પરંતુ દિલ્હી-મુંબઈ હાઈવે કોરિડોરથી લઈને તમામ પ્રકારના અનુભવ ધરાવનાર એ કે શર્માનો અનુભવ 30 વર્ષથી પણ વધુનો છે.
IAS આર.પી ગુપ્તા (IAS R P Gupta)
આર. પી. ગુપ્તા 1987ની ગુજરાત કેડરની બેચના આઈએએસ અધિકારી છે. તેમણે બી.ટેક કર્યું અને આઇઆઈટી, કાનપુરથી એરોનોટિકલ એન્જિનિયરિંગમાં. તેમની કારકિર્દીના શરૂઆતના ભાગમાં જિલ્લા વિકાસ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા કલેકટર વગેરે તરીકેની ક્ષેત્રની કામગીરીમાં કામ કરવા ઉપરાંત, તેમણે મુખ્યત્વે નીતિ નિર્માણના સ્તરે શિક્ષણ, ભૂમિ રેકોર્ડ અને ઉર્જા ક્ષેત્રે કામ કર્યું હતું. હાલ તે નીતિ આયોગમાં સ્પેશયલ સેક્રેટરીનો પદભાર સંભાળે છે.
મહાપાત્રા હાલ દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં પ્રતિનિયુક્તિ પર કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડમાં સચિવ તરીકે કાર્યરત છે. ઓક્ટોબર 2014માં મહાપાત્ર અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર પદેથી સીધા કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર ગયા હતા અને કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ તેમણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડિરેકટર તરીકેની કામગીરી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તમામ યોજના સુપેરે પાર પાડી દેશમાં નવા એરપોર્ટ વિકસાવવાની સિદ્ધિ મેળવી હતી.
IAS રાજ કુમાર ( IAS Raj Kumar )
14મી ફેબ્રુઆરી 2020ના રોજ રાજ કુમારની ડિફેન્સ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. એ પહેલા તેઓ ડિરેક્ટર તરીકે એમ્પલોઈ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC)માં પદભાર પર હતા. રાજ કુમારે, ભારતીય વહીવટી સેવા, સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ નિયોક્તા રાજ્ય વીમા નિગમના ડાયરેક્ટર જનરલ તરીકે 24 જુલાઈ 2017ના રોજ નવી દિલ્હીમાં તેના મુખ્ય મથક ખાતે કાર્યભાર સોંપાયો હતો. રાજ કુમાર ભારતીય વહીવટી સેવાના 1987 બેચના ગુજરાત કેડરના અધિકારી છે. આ પહેલા, તેમણે 20મી એપ્રિલ 2015માં ભારત સરકાર, આર્થિક બાબતોના વિભાગ, નવી દિલ્હીના સંયુક્ત સચિવ તરીકે કામ કર્યું છે. તેમને જિલ્લા અને રાજ્ય કક્ષાના સંગઠનોના વહીવટ અને સંચાલનમાં મોટો અનુભવ છે. ગુજરાત સરકારના ખાદ્ય અને પુરવઠા વિભાગ અને કૃષિ અને સહકાર વિભાગમાં મુખ્ય સચિવ તરીકે પણ તેઓ કામ કરી ચૂક્યાં છે.
IAS બી.બી સ્વેન ( IAS BB Swain )
બી.બી સ્વેન ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમને કેન્દ્રનું તેડું આવ્યું હતું. સ્વેનની ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. 1988 બેચના અગ્ર સચિવ ગુજરાતના ચીફ ઈલેક્ટ્રોરલ ઓફિસર બી બી સ્વેનને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં અધિક સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે . આ અગાઉ તેઓ વર્ષ 2004 માં ગુજરાતના રિજનલ પાસપોર્ટ ઓફિસર તરીકે પણ કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર કામ કરી આવ્યા છે . બી બી સ્વેનની ગત વર્ષે યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના થોડા સમય પહેલા જ ચીફ ઈલેક્ટ્રોરલ ઓફિસર તરીકે મુકવામાં આવ્યા હતા.
IAS કે.શ્રીનિવાસ ( IAS K Shrinivas )
કે શ્રીનિવાસ 1989ની બેચના ગુજરાત કેડરના IAS અધિકારી છે તે મૂળ હૈદરાબાદ તેલંગણાના છે. હાલ શ્રીનિવાસ કેન્દ્રના પર્સોનલ અને ટ્રેઈનિંગ ડિપાર્ટમેન્ટમાં એસ્ટાબ્લિશમેન્ટ ઓફિસર (EO) તરીકે પાવરફૂલ અને મહત્વના હોદ્દા પર કાર્યરત છે. અગાઉ આ જ વિભાગમાં સંયુકત સચિવ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શ્રીનિવાસ અગાઉ રાજકોટ અને અમદાવાદમાં કલેકટર તરીકે રહી ચૂકયા છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નોંધપાત્ર કામગીરી કરી છે. તેમજ તેમણે મહેસુલ વિભાગની અનેક મહત્વની નીતિઓમાં નોંધપાત્ર કામગીરી પણ કરી છે.
IAS અનિતા કરવાલ ( IAS Anita Karwal )
અનીતા કરવાલ મૂળે ચંદીગઢ પંજાબના છે. 1988ની ગુજરાત કેડરના અધિકારી છે. હાલ તેઓ અનીતા કરવાલ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન નવી દિલ્હીમાં ચેરપર્સન છે. કરવાલ આ પહેલા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ ( GAD)માં મુખ્ય સચિવ હતા. સાથે જ તેમણે અર્બન ડેવલોપમેન્ટ SPIPAમાં પણ ફરજ નિભાવી છે. આ ઉપરાંત તેઓ ચીફ ઈલેક્ટ્રોરલ ઓફિસર અને અમદાવાદના કલેક્ટર પદે પણ સેવા આપી ચૂક્યાં છે.