સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર કે.રાજેશ સામે ગત મોડી રાત્રે CBIના દરોડા ચાલી રહ્યા છે. ત્યારે આ મામલે રાજકોટના એક રાજકીય અગ્રણીની જમીન સોદો શંકાના દાયરામાં છે.
તત્કાલીન કલેકટર કે.રાજેશ સામે દરોડા બાદ કાર્યવાહી
રાજકીય અગ્રણીની જમીન સોદો શંકાના દાયરામાં
બામણબોરની જમીનના વેચાણનો છે વિવાદ
સુરેન્દ્રનગરમાં કલેક્ટર તરીકે કામ કરી ચૂકેલા IAS અધિકારી કે.રાજેશના નિવાસસ્થાને CBIએ દરોડા પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે, કે.રાજેશ પર જમીનની ફાઈલો ક્લીયર કરવામાં તથા હથિયાર લાયસન્સ ઇસ્યુ કરવામાં જંગી ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે જેને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. CBIના આ દરોડા વચ્ચે રાજકોટના એક રાજકીય અગ્રણીનો જમીનનો સોદો શંકાના દાયરામાં આવતાં CBIએ તપાસ વધુ તેજ કરી છે.
2000 કરોડની જમીન કૌભાંડની તપાસ
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર કે.રાજેશ સામે CBIના ગત રાતથી દરોડા ચાલી રહ્યા છે. દરોડા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી. બીજી તરફ આ બામણબોરની જમીનના સોદામાં રાજકોટના એક રાજકીય અગ્રણી શંકાના દાયરામાં આવી છે. CBIના તપાસમાં જાણવા મળ્યું હતું કે, બામણબોરની જમીનના વેચાણમાં રાજકીય અગ્રણીની મહત્વની ભૂમિકા છે.
હાલમાં સૂત્રો તરફથી મળી રહેલી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના બામણબોરમાં 2000 કરોડની 800 એકરની જમીનમાં કૌભાંડનો મામલો ચર્ચામાં આવ્યો છે જેનો તપાસનો રેલો IAS કે. રાજેશ અને રાજકોટના દિગ્ગજ નેતા સુધી પહોંચી શકે છે. કાયદાનું ખોટું અર્થઘટન કરીને 800 એકરની જમીનની લ્હાણી કર્યાનો આક્ષેપ છે.
કોણ છે IAS કે.રાજેશ?
હાલ આ દરોડાની વાતો વેગ પકડતા અધિકારી બેડામાં ફફડાટ મચ્યો છે. IAS ઓફિસરને ત્યાં કેન્દ્રની એજન્સીએ પાડેલી રેડમાં મોટા પાયે રોકડ રકમ ઝડપાઇ હોવાની ચર્ચા પણ થઈ રહી છે. હાલ કે.રાજેશ સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઈડ પોસ્ટ કરાયા હતા. સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણીના વિવાદમાં કે.રાજેશનું નામ ચર્ચાયુ હતું.
CBI is conducting raids at the Ahmedabad residence of IAS officer K Rajesh, in an alleged corruption case: Sources
CBI એ IAS કે.રાજેશ સામે દિલ્હીમાં ફરિયાદ નોંધી છે. ગાંધીનગર નિવાસસ્થાને મોડી રાતથી CBIની કાર્યવાહી ચાલુ છે. IAS સામે બંદૂકના લાયસન્સ લેવાની મંજૂરી માટે લાંચ માંગી હોવાનો આક્ષેપ છે સાથે જ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો અધિકારી સામે આરોપ થઈ રહ્યા છે. આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણી અંગેના વિવાદમાં કે.રાજેશ રહી ચૂક્યા છે હાલમાં ગાંધીનગર,સુરત, સુરેન્દ્રનગર સહિતના નિવાસસ્થાને CBIની કાર્યવાહી થઈ રહી છે.
મોટા અધિકારીઑમાં ફફડાટ
સમગ્ર કાર્યવાહી મુદ્દે અધિકારી બેડામાં ગણગણાટ થઈ રહ્યો છે. રાજ્યના ભ્રષ્ટ IAS અને IPS અધિકારીઓ સામે સીબીઆઈએ લાલ આંખ કરી છે. કરોડોની મિલકતો ધરાવનાર અધિકારીઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સર્વે પણ થઈ રહ્યો છે જેને આધારે આગળ પણ દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે તેવા અણસાર છે.