કૃષિ કાયદાના વિરોધને લઇને છેલ્લા 18 દિવસથી ખેડૂતએ દિલ્હીમાં ધામા નાખ્યા છે, સરકાર ખેડૂતોને વારંવાર અપીલ કરી રહી છે આંદોલન પૂર્ણ કરવામાં આવે અને અમે વાતચીત માટે તૈયાર છીએ પરંતુ ખેડૂતો ટસના મસ થતા નથી. ત્યારે હરિયાણાના ચર્ચીત IAS અશોક ખેમકાએ એક સૂચન કર્યું હતું.
ખેડૂત આંદોલનનો આજે 18મો દિવસ
IAS અશોક ખેમકાએ આંદોલન પૂર્ણ કરવાના સૂચવ્યા ઉપાય
વારંવાર ચર્ચામાં રહી ચૂક્યા છે IAS અશોક ખેમકા
ખેમકાએ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) નો લાભ તમામ રાજ્યોમાં સમાનરૂપે વહેંચી શકાય છે. બાકીનો ભાર રાજ્ય સરકારોએ ઉઠાવવો જોઇએ. રાજ્યોએ તેમની જરૂરિયાત અને ક્ષમતા પ્રમાણે ખેડુતોને વિવિધ પાક પર એમએસપી(MSP)ની બાંયધરી આપવી જોઈએ. એમએસપીનું વિકેન્દ્રકરણ વધુ સારું છે.
સરકાર દ્વારા બાંહેધરી અપાઇ છતાં ખેડૂતો નથી થતાં ટસના મસ
ખેમકાના આ સૂચન અંગે ખેડૂતો અથવા તેમની સંસ્થાના નેતાઓ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. હકીકતમાં, ખેડૂતોને આશંકા છે કે કેન્દ્ર દ્વારા પસાર કરાયેલા ત્રણ કૃષિ કાયદાને કારણે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) નાબૂદ કરવામાં આવશે. જો કે સરકાર એમએસપી અંગેના લેખિત ખાતરી ખેડૂતોને આપવા તૈયાર છે. કરાર ખેતી સહિતની અનેક જોગવાઈઓ અંગે પણ ખેડૂતોએ વાંધો ઉઠાવ્યો હતો. સરકારે તેમને પણ સ્વીકારી લીધા છે અને ખાતરી આપી છે કે મંડીઓને નાબૂદ કરવામાં નહીં આવે, પરંતુ બીજો વિકલ્પ ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે. પરંતુ ખેડુતો કૃષિ કાયદાને સંપૂર્ણ નાબૂદ કરવાની માંગ પર આગ્રહ રાખે છે.
પહેલા પણ કરી હતી ટ્વીટ
ખેમકાએ પણ 5 ડિસેમ્બરે એક ટ્વિટમાં ખેડૂત આંદોલન પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે કૃષિ કાયદા ઉપરાંત ખેડૂત આંદોલન કોર્પોરેટ પ્રત્યેનો તેમનો અવિશ્વાસ પણ દર્શાવે છે. આપણા દેશમાં, માથાદીઠ એનપીએ વિશ્વનું ઉચ્ચતમ સ્તર હશે.