IAS ગૌરવ દહિયાના પ્રેમપ્રકરણ મામલે પીડિતાએ મહિલા આયોગમાં રજૂઆત કરી હતી. મહિલાએ પોતાની બાળકીનો DNA ટેસ્ટ કરવાની માંગ કરી હતી અને ન્યાય માટે મહિલા આયોગ સામે હાથ ફેલાવ્યા હતા. મહિલા આયોગમાં મુલાકાત બાદ પીડિતાએ જણાવ્યું કે, IAS ગૌરવ દહિયાં ડિસમિસ થવા જોઈએ. ગૌરવ દહિયાએ IAS પદની ગરિમા જાળવી નથી. દીકરીનો DNA ટેસ્ટ કરવાની માંગ કમિટી સમક્ષ કરી છે.
પીડિતાને ન્યાય અપાવવા કરીશું કામઃ મહિલા આયોગ
તેમણે વધુમાં જણાવ્યું કે, મને અને મારી દીકરીને ગૌરવ દહિયા તરફથી ખતરો છે. ગૌરવ દહિયા હવે ત્રીજી યુવતીનું જીવન બરબાદ કરી રહ્યાં છે. જો કે પીડિતાએ મહિલા આયોગમાં રજૂઆત કર્યા બાદ જ્યાર બાદ મહિલા આયોગે નિવેદન આપતા કહ્યું કે, પોલીસ પાસે અમે રિપોર્ટ મંગાવ્યો હતો અને અમે ગૌરવ દહિયાને નિવેદન માટે બોલાવ્યા હતા. તેઓએ કહ્યું કે, પીડિતાને ન્યાય અપાવવા માટે મહિલા આયોગ કામ કરશે.
પીડિત મહિલાની VTV સાથે એક્સક્લુઝીવ વાતચીત
સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા પ્રેમ પ્રકરણ મામલામાં દિલ્હીનાં પીડિતા મહિલા અમદાવાદ આવી પહોંચ્યા બાદ તેમણે VTV સાથે એક્સક્લુઝીવ વાત કરી હતી. તેઓએ કહ્યું કે, 'મને મારી દીકરીના અધિકાર જોઇએ છે. હું સીએમ સાથે અને મહિલા આયોગ સાથે પણ મુલાકાત કરીશ. મારી દીકરીના બાયોલોજીકલ પિતાના રાઇટ્સ આપવામાં આવે. મારી દીકરીનો અને તેના પિતાનો DNA ટેસ્ટ કરાવવામાં આવે.'
પીડિતા મહિલાની DGPને લેખિતમાં રજૂઆત
IAS અધિકારી ગૌરવ દહિયા સામે આરોપ લગાવનાર મહિલા દિલ્હીથી ગુજરાતમાં આવી પહોંચ્યા બાદ પીડિતા મહિલા ગાંધીનગરમાં DGP ઓફિસની મુલાકાત લીધી હતી. સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયા કથિત પ્રેમ પ્રકરણ મામલે દિલ્હીની પીડિતાએ DGPને રજૂઆત કરી છે. પીડિતાએ DGPને લેખિતમાં રજૂઆત કરી અને FIR કરવાની માંગ કરી છે. ત્યારે DGPએ પણ કાયદાકીય જોગવાઇ અંતર્ગત કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. DGP સાથે મુલાકાત કર્યા બાદ પીડિતા મહિલા આયોગ પહોંચ્યાં કે જ્યાં તેઓએ અરજી અને પુરાવા સાથે રજૂઆત કરી.
મહત્વનું છે કે છેલ્લાં 2 મહિનાથી IAS ગૌરવ દહિયાના કથિત બીજા લગ્ન અને પ્રેમ પ્રકરણનો વિવાદ ચાલી રહ્યો છે. ગૌરવ દહિયા સામે પીડિતાએ ફરીયાદ કરી છે. તેમની સામે ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ગૌરવ દહિયાએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હોવાની ફરિયાદ કરી છે.
શું છે IAS દહિયા પ્રેમપ્રકરણ કેસ
ગુજરાત કેડરના IAS ગૌરવ દહિયાએ ફેસબુકમાં બનેલી દિલ્હીની એક ફ્રેન્ડ સાથે એક પત્ની હોવા છતાં બીજી પત્ની તરીકે લગ્ન કર્યા હતા. પ્રેમ પ્રકરણમાં અચાનક કોઈ તકલીફ પડતાં બંને એકબીજા વિરૂદ્ધ ગુજરાત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ 2017માં ગૌરવ અને પીડિતાને ફેસબુકમાં પ્રેમ થયો હતો અને પછી લગ્ન કર્યા હતા.
પ્રેમપ્રકરણનો કેસ હાઈ પ્રોફાઈલ અને બહુચર્ચિત હોવાથી પોલીસે આ કેસ અંગે સીએમ રૂપાણીને જાણ કરી હતી. ત્યારબાદ રૂપાણીના આદેશથી ગુજરાત સરકારમાં ફરજ બજાવતાં 3 મહિલા IASની એક તપાસ કમિટીની રચના થઈ હતી જેમાં પીડિતા પોતાના નિવેદન આપ્યું હતું. ત્યાર બાદ તપાસ કમિટીએ પણ ગૌરવને આરોપી સાબિત કર્યો હતો. મહિલા IAS સુનયના તોમરે રૂપાણીને આ અંગે રિપોર્ટ સોપ્યો હતો. જ્યારે ત્યારબાદ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.