ઇંગ્લેન્ડ વિરુદ્ધ પુણેમાં વન ડે સિરીઝની છેલ્લી મૅચ સાથે ભારતીય ક્રિકેટ ટીમે સિરીઝ જીતી લીધી હતી. ત્યારે ઇયાન બેલનું એક નિવેદન આવ્યુ છે અને ભારતીય બેટ્સમેનની ખુબ પ્રશંસા કરી છે.
ભારતીય ખેલાડી પર ફિદા અંગ્રેજ બેટ્સમેન
ઇયાન બેલે આપ્યુ મહત્વનુ નિવેદન
આ ખેલાડી વગર ભારતીય ટીમ અધૂરી
ગયા વર્ષે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાથી શરૂ થયેલા આ પ્રવાસને ઘરેલૂ જમીન પર સિરીઝ જીતીને પૂર્ણ કર્યો છે. સમગ્ર સિઝન દરમિયાન નવા ખેલાડીઓનો જુસ્સો અને કાબેલિયત જોવા મળી હતી. તેમાં એક ક્રિકેટર ઋષભ પંતને ટીમમાં મળેલ જગ્યાને લઇને ગયા વર્ષે સવાલ ઉઠવા લાગ્યા હતા. ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન ઇયાન બેલે કહ્યું કે પંત વગર ભારતીય ટીમની કલ્પના પણ ન કરી શકાય.
ગયા વર્ષે જાન્યુઆરીમાં વન ડે ટીમ અને બાદમાં ન્યૂઝીલેન્ડ પ્રવાર પર વન ડે ટીમમાં પોતાની જગ્યા ગુમાવનાર પંતને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર માત્ર ટેસ્ટ માટે સિલેક્ટ કરવામાં આવ્યો હતો. મેલબર્ન ટેસ્ટથી પંતની વાપસી થઇ અને તે બાદ પોતાની બેટિંગથી વિકેટકિપીંગ સુધી 22 વર્ષના યુવા ખેલાડીએ પોતાની જાતને સાબિત કરી હતી. ત્રણે ફોરમેટમાં પોતાની જાત સાબિત કરીને તેણે ટીમમાં પોતાની જગ્યા ફિક્સ કરી દીધી છે.
Reflecting on a great couple of months of #INDvENG cricket. How good was it for us all to have something so exciting to...
ઋષભ એક દુર્લભ ખેલાડી
ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પફોર્મન્સ બાદ વન ડે સિરીઝમાં પણ પંતે સતત બે મૅચમાં 50 રન બનાવ્યા હતા. ત્રીજી મૅચમાં પણ તેનુ શાનદાર પફોર્મન્સ હતુ. પંતના આ પ્રદર્શને ઇંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન ઇયાન બેલને ખુબ પ્રભાવિત કર્યા હતા. તેણે પંતને દુર્લભ ખેલાડી કહી દીધો હતો
શાંતચિત બેટિંગ કરે છે
ઇંગ્લેન્ડ વિરુદ્ધ વન ડે સિરીઝના પહેલા મૅચમાં ન રમનાર પંતે બીજી જ મૅચમાં 40 બોલમાં 77 રન બનાવ્યા હતા. બાદમાં સિરીઝને એક નિર્ણાયક મુકાબલામાંથી પણ ટીમને કાઢી હતી. તેના માટે આ સિરીઝ શાનદાર રહી હતી. તેણે જોખમવાળા શોટ ન રમ્યા અને શાંતચિત્તે બેટિંગ કરી હતી.
ઓસ્ટ્રેલિયા પ્રવાસથી થયો બદલાવ
પંતે આ વર્ષની શરૂઆતથી જ શ્રેષ્ઠ પદર્શન આપ્યુ છે. ભારતીય વિકેટકીપરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી અને ચોથી મૅચમાં 97 અને 89 રન નોટઆઉટ બનાવ્યા હતા. આ સિરીઝમાં માત્ર 3 મૅચ રમીને પણ તે ભારતનો સફળ બેટ્સમેન રહ્યો હતો. આ બાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં પણ 1 શતક અને 2 અર્ધશતક માર્યા હતા.