જનરલ બીપીન રાવતનું તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ આ ઘટનાની તપાસ અંગે ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યું હતું.
આજે CDS જનરલ બિપિન રાવતનાં અંતિમ સંસ્કાર થયા
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બીપીન રાવતનું તમિલનાડુના કુન્નુરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થતાં 14 લોકો પૈકી 13 લોકોના મૃત્ય થયાં હતા. જેમના પાર્થિવ દેહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
IAF ની અપીલ
આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. વાયુસેનાએ લોકોને અપીલ કરી હતી કે પાયા વગરની અટકળોથી બચો અને તેમણે જોરપૂર્વક કહ્યું હતું કે, 'જલ્દી જ તથ્ય સામે આવશે'
અફવાઓથી દૂર રહો
ભારતીય વાયુસેનાએ ટ્વિટ કર્યું હતું કે, ''ભારતીય વાયુસેનાના 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર દુર્ઘટનાનાં કારણોની તપાસ કરવા માટે Tri-Service ઓફ ઇન્ક્વાયરી ગોઠવવામાં આવી છે. તપાસ જલ્દી જ પૂરી કરવામાં આવશે. અને તથ્ય સામે આવશે. ત્યાં સુધી મૃતકોની ગરિમાનું સન્માન કરવાની જરૂર છે અને અકારણ અટકળોથી બચવાની જરૂર છે.
IAF has constituted a tri-service Court of Inquiry to investigate the cause of the tragic helicopter accident on 08 Dec 21. The inquiry would be completed expeditiously & facts brought out. Till then, to respect the dignity of the deceased, uninformed speculation may be avoided.
લોકસભામાં રક્ષામંત્રી રાજનાથસિંહે આપ્યું નિવેદન
તમિલનાડુના નિલગિરી જિલ્લાના કુન્નુર વિસ્તારમાં બુધવારે ભારતીય વાયુસેનાનું એમઆઈ-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં દેશે તેના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત ઉપરાંત 11 સૈનિકો પોતાનો જીવ ગુમાવ્યા હતા.
લોકસભામાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે આ ઘટના અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશને ક્યારેય ન પુરાય એવી ખોટ પડી છે. તેમણે કહ્યું
હતું કે હેલિકોપ્ટરમાં આગ લાગી હતી.
દુર્ઘટનાની તપાસ માટે કમિટી
તેમણે જણાવ્યું હતું કે 11:48 એ હેલિકોપ્ટરે ઊડાન ભરી હતી. ત્યાર બાદ તેમાં આગ લાગી હતી. હેલિકોપ્ટરમાં 14 લોકો હાજર હતા જેમાંથી 13 લોકોના દુઃખદ નિધન થયા હતા. આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. એરફોર્સ દ્વારા તપાસ માટે કમિટીની રચના કરાઇ છે અને એર માર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં કમિટી રચના કરવામાં આવી છે.