ભારતીય વાયુસેનાને રાફેલ વિમાનનો બીજો કાફલો મળવા જઇ રહ્યો છે. નોંધનીય છે કે, નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાફેલ વિમાનનો બીજો કાફલો અંબાલા એરબેઝ પર આવી પહોંચશે. આ કાફલામાં ભારતને 3 અથવા 4 વિમાન આવી પહોંચશે.
ભારતીય વાયુસેનાને રાફેલ વિમાનનો બીજો કાફલો મળશે
9,000 કરોડના ખર્ચથી 36 વિમાન ખરીદવાનો થયો છે કરાર
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 29 જુલાઇના રોજ 5 વિમાનો ભારત આવી પહોંચ્યા હતા. 10 સપ્ટેમ્બરના રોજ રાફેલ વિમાનોને વાયુસેનાઓ સામેલ કર્યા. ભારતે ફ્રાંન્સની સાથે લગભ 4 વર્ષ પહેલા આશરે 59,000 કરોડના ખર્ચથી 36 વિમાન ખરીદવાનો કરાર કર્યા હતો.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ જાણકારી
ઉચ્ચ સરકારી સૂત્રોએ જણાવ્યું કહ્યું કે, 'ભારતને નવેમ્બર મહિનામાં ત્રણથી ચાર રાફેલ લડાકુ વિમાનો મળી રહ્યા છે. આ તમામ લડાકુ વિમાનો પ્રથમ અઠવાડિયાના અંત સુધીમાં ફ્રાન્સથી ભારત પહોંચશે.
આ 4 વિમાનો ભારતમાં આવ્યા બાદ રાફેલની સંખ્યા કુલ 9 થઇ જશે. રફાલની પ્રથમ બેચને ભારતીય વાયુ સેનાના કાફલામાં સત્તાવાર રીતે શામેલ કરવામાં આવી છે. જુલાઇ મહિનામાં મળી આવેલા 5 વહેલા રાફેલ વિમાનને અંબાલાના એરફોર્સ સ્ટેશન પર ગોઠવવામાં આવ્યા છે. રફાલ ફાઇટર જેટને ઉડવાનું કામ એરફોર્સમાં 17 ગોલ્ડન એરો સ્ક્વોડ્રોનને આપવામાં આવ્યું છે.
58 હજાર કરોડમાં કુલ 36 રાફેલ લડાકુ વિમાનો પર હસ્તાક્ષર કર્યા
ફ્રાંન્સથી રાફેલનો કાફલો આવ્યા બાદ તેમને પશ્ચિમ બંગાળના કલઇકુંડા એરફોર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે. ચીનની નજીકની પૂર્વી સીમાની સુરક્ષા માટે 4.5 ફોર્થ જનરેશનના આ ફાઇટર જેટને બંગાળમાં તૈનાત કરાશે જેથી ચીન કોઇ રમત ન રમે.
આપને જણાવી દઇએ કે, ભારતે ફ્રાન્સથી લગભગ 58 હજાર કરોડમાં કુલ 36 રાફેલ લડાકુ વિમાનો પર હસ્તાક્ષર કર્યા છે. વર્ષ 2021 સુધીમાં ભારતે આ તમામ લડાકુ વિમાનો મેળવવાની ધારણા છે, જેમાંથી 10 આ વર્ષે મળી રહ્યા છે.