આજે અરુણાચલ પ્રદેશથી એક દુર્ઘટનાના સમાચાર આવ્યા છે. ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર કે જે Mi-17 Helicopter છે તે તૂટી પડ્યું હતું.
Mi-17 હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર
બંને પાઈલટ અને ત્રણ ક્રૂ મેમ્બર સુરક્ષિત
ઘટનાના કારણો જાણવા ઇન્ક્વાયરીનો આદેશ
આજે ભારતીય વાયુસેનાનું Mi-17 Helicopter દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ ઘટના અરુણાચલ પ્રદેશમાં બન્ની હોવાની માહિતી મળી હતી.
An IAF Mi-17 helicopter today crash-landed in eastern Arunachal Pradesh with 2 pilots&3 crew members. All are safe. Helicopter was carrying out air maintenance sortie when the incident took place. Court of inquiry will be ordered to ascertain the reasons for the incident: Sources pic.twitter.com/LGMfGrwc5P
અરુણાચલ પ્રદેશમાં હેલિકોપ્ટર તૂટી પડવાની ઘટનામાં સદનસીબે હેલિકોપ્ટરમાં સવાર બંને પાઈલટ અને ત્રણ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. ભારતીય વાયુસેનાએ આ માહિતી આપી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટર લાંબા સમયથી ઉપયોગમાં ન હતું. ગુરુવારે જ્યારે પાયલટે ટેક ઓફ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ક્રેશ થઈ ગયું.
ઇન્ક્વાયરીનો આદેશ
આ ઘટનાના કારણો હજુ સુધી જાહેર થયા નથી. અકસ્માત બાદ કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવશે.