ઇન્ડિયન એરફોર્સ દ્વારા જારી કરવામાં આવેલા ઇન્ટરનલ રિવ્યૂ ડૉક્યૂમેન્ટમાં આ વાતનો ખુલાસો થયો છે કે સુરક્ષાબળોએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના 6 માંથી 5 અડ્ડાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા હતા.
નવી દિલ્હી: ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના 6 આતંકી અડ્ડાઓમાંથી 5નો નાશ કરી દીધો હતો. ઇન્ડિયન એરફોર્સ દ્વારા જારી કરવામાં આવેલા ઇન્ટરનલ રિવ્યૂ ડોક્યૂમેન્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. બાલાકોટ હુમલા માટે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મિરાજ 2000 જેટ વિમાનોથી ફેંકવામાં આવેલા ઇઝરાયલી સ્પાઇસ 2000 (પીજીએમ)એ છ લક્ષ્યોમાંથી પાંચને ટાર્ગેટ બનાવ્યો હતો. સૂત્રોએ કહ્યું કે સુધાર માટે સંભાવિત ક્ષેત્રોના પોતાના વિશ્લેષણમાં, એરફોર્સે પાકિસ્તાન પર વધારા માટે ઉચ્ચ ટેકનીકીની ક્ષમતા અને વાયુ રક્ષા પ્રણાલી પર જોર આપ્યું છે.
ઇન્ડિયન એરફોર્સના રિપોર્ટ પ્રમાણે જો સેનાની પાસે ઉચ્ચે ટેકનીક ક્ષમતા હોત તો 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના નિષ્પલ હવાઇ હુમલા દરમિયાન એ એને ભારે નુકસાન પહોંચતું. આ રિપોર્ટમાં 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આંતકવાદી પ્રશિક્ષણ અડ્ડા પર એરફોર્સની એર સ્ટ્રાઇક અને બીજા દિવસે પાકિસ્તાનની જવાબી કાર્યવાહીના વિવિધ પહેલુંઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું.
ભારતે પુલવામાં હુમલાનો બદલો લેવા માટે એર સ્ટ્રાઇક કરી હતી. પુલવામાં હુમલામાં સીઆરપીએફના 40 થી વધુ જવાના શહીદ થઇ ગયા હતા. એરફોર્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે પાકિસ્તાની એરફોર્સ 1999માં કારગિલ યુદ્ધ બાદથી જ સતત પોતાની ક્ષમતાઓનો વિસ્તાર કરી રહ્યું છે અને ભારત માટે જરૂરી છે કે એ એર વૉર માટે પોતાની ટેકનીકી ક્ષમતાને મજબૂત કરે.