ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ શનિવારે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર દુર્ઘટનાની કોર્ટ ઓફ ઈન્કવાયરી કરવામાં આવી રહી છે.
તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં વરિષ્ઠ અધિકારીઓ તપાસ કરી રહ્યાં
દુર્ઘટના બાદ VVIP પ્રોટોકોલની સમીક્ષા કરવામાં આવી રહી છે.
દુર્ઘટના ટેકનિકલ ખામી થયો છે કે નહીં તે તપાસની પ્રક્રિયા બાદ સામે આવશે
Let me assure you that it is a very very fair process, this entire Court of Inquiry: Indian Air Force (IAF) chief Air Chief Marshal VR Chaudhari#TamilNaduChopperCrashpic.twitter.com/IzmUwYKUjB
તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં વરિષ્ઠ અધિકારીઓ તપાસ કરી રહ્યાં
ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ શનિવારે એરફોર્સ એકેડેમી, ડુંડીગલની ગ્રેજ્યુએશન પરેડમાં ભાગ લીધો હતો.જેમાં તેઓ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર દુર્ધટનાની કોર્ટ ઓફ ઈન્કવાયરી કરવામાં આવી રહી છે. વરિષ્ઠ અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યાં છે. આ પ્રક્રિયામાં દરેક પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માત ટેકનિકલ ખામી થયો છે કે નહીં તે તપાસની પ્રક્રિયા બાદ સામે આવશે
તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટના બાદ VVIP પ્રોટોકોલની સમીક્ષા કરવામાં આવી રહી છે.
IAF ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યું કે તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટના બાદ વીવીઆઈપી પ્રોટોકોલની સમીક્ષા કરવામાં આવી રહી છે. તપાસના તારણોના આધારે આ તમામ પ્રક્રિયાઓની સમીક્ષા કરવામાં આવશે. અમે સતત પાકિસ્તાન અને ચીનના ખતરાઓનું મૂલ્યાંકન કરી રહ્યાં છે. અને આ અંગે સચેત પણ છે. તેમણે કહ્યું કે, ચીન સાથે ભારતનો ટકરાવ હજુ પણ ચાલુ છે. લદ્દાખના કેટલાક ભાગોને લઈને બંને દેશોની સેનાઓ વચ્ચે પરસ્પર સમજૂતી થઈ છે. પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ સરહદ વિવાદ ચાલી રહ્યો છે. જ્યાં સુધી સીમા વિવાદનો ઉકેલ નહી આવે ત્યાં સુધી સીમા પર એરફોર્સની તૈનાતી ચાલુ રહેશે. અમે દરેક ક્ષેત્રમાં કોઈપણ પડકારનો સમાનો કરવા તૈયાર છીએ
કોર્ટ ઓફ ઈન્ક્વાયરી એ ન્યાયી પ્રક્રિયા છેઃ IAF ચીફ
હું કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના કોઈપણ નિષ્કર્ષ પર પહેલાથી અનુમાન રાખવા માંગતો નથી. આ એક એવી પ્રક્રિયા છે જેમાં સૌથી નાનો કોણ તપાસવામાં આવે છે. અકસ્માત દરમિયાન શું ખોટું થઈ શકે છે તેના દરેક મુદ્દાને ધ્યાનમાં લેવામાં આવે છે. અકસ્માત સાથે જોડાયેલા દરેક મુદ્દાની તપાસ, યોગ્ય ભલામણો અને તારણો આવ્યા બાદ જ આ મામલે કંઈક કહી શકાય. હું તમને ખાતરી આપું છું કે તે ખૂબ જ ન્યાયી પ્રક્રિયા છે.
IFAના ચીફે કહ્યું કે, રાફેલની સમયસ ડિલીવરી માટે ફ્રાન્સના આભારી છીએ
IFAના ચીફે કહ્યું કે, જ્યાં સુધી રાફેલ પર ચર્ચાનો સંબંધ છે. અમે રાફેલની સમયસ ડિલીવરી માટે ફ્રાન્સના આભારી છીએ તમે જાણો છો કે કોન્ટ્રાક્ટ 36 એકક્રાફટનો હતો જેમાંથી 32ની ડિલિવરી થઈ ચૂકી છે. બાકીના ચાર એરક્રાફ્ટ 3 ફેબ્રુઆરીએ આવશે. એરફોર્સ એકેડેમીની ગ્રેજ્યુએશન પરેડને સંબોધતા વી.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, "આઈએએફને તેના સમૃદ્ધ વારસાને આગળ વધારવા માટે તમારા જેવા યુવા અને ગતિશીલ અધિકારીઓની જરૂર છે. તમે આજે બતાવેલ એ જ ઉચ્ચ ધોરણો ભવિષ્યમાં સલામત અને અસરકારક કામગીરી માટેનો આધાર બનશે.