છેલ્લા છ દિવસથી ચાલી રહેલી શોધખોળ છતાં વાયુસેનાના વિમાન AN-32 વિમાનની કોઇ જાણકારી પ્રાપ્ત થઇ રહી નથી. આ વચ્ચે વાયસેનાએ આ વિમાનને લઇને કોઇપણ પ્રકારની સચોટ જાણકારી આપનારને 5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.
ડિફેન્સ પીઆરઓ વિંગ કમાન્ડર રત્નાકર સિંહે શિલોંગમાં જણાવ્યું કે એર માર્શલ આરડી માથૂર, AOC ઇન કમાન્ડ, ઇસ્ટર્ન એર કમાન્ડે 5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે લાપતા AN-32 વિમાનની સચોટ જાણકારી આપનાર વ્યક્તિ કે સમૂહને આ ઇનામ આપવામાં આવશે.
આ નંબરો પર આપી શકો છો સૂચના
વિંગ કમાંન્ડર રત્નાકરે જણાવ્યું કે લાપતા વિમાનના લોકેશન અંગેની સૂચના આ નંબર પર આપી શકો છે. ઉલ્લેખનીય છે કે વાયુસેના પોતાના લાપત્તા વિમાનની શોધ માટે દરેક પ્રકારના પ્રયત્ન કરી રહ્યું છે.
0378-3222164, 9436499477, 9402077267, 9402132477
ઉલ્લેખનીય છે કે, લાપતા થયેલા વિમાન AN 32 એ અસમના જોરહાટ માટે અરૂણાચલ પ્રદેશના શિ યોમી જિલ્લાના મેચુકા એડવાન્સ્ડ ગ્રાઉન્ડથી ઉડાન ભરી હતી. વાયુસેનાનું વિમાન AN 32 છેલ્લા છ દિવસથી લાપત્તા છે. ત્યારે વાયુસેના લાપતા વિમાનને શોધવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે. જો કે હજુ સુધી વિમાન ન મળતા વાયુસેનાએ ઈનામની જાહેરાત કરી છે.
વાયુસેનાએ લાપતા વિમાનની માહિતી આપનારાને રૂપિયા પાંચ લાખના ઈનામની જાહેરાત કરી છે. ડિફેન્સ પીઆરઓ વિંગ કમાન્ડર રત્નાકર સિંહે કહ્યું કે, એર માર્શલ આર ડી માથુર, AOC ઈન કમાન્ડ, ઈસ્ટર્ન એર કમાન્ડે રૂપિયા પાંચ લાખના ઈનામની જાહેરાત કરી છે.
લાપતા વિમાન AN 32ની માહિતી આપનારા વ્યક્તિ કે સમુદાયને આ ઈનામ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચાલકદળના 8 અને 5 યાત્રીઓ સહિત કુલ 13 લોકો વિમાનમાં સવાર હતા. હજુ પણ લાપતા વિમાનને શોધવા સતત પ્રયાસ ચાલુ છે.