યુક્રેન પર રશિયાનો હુમલો (Russia-Ukraine War) સતત શરૂ છે. ત્યારે આ નિર્ણયના કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દુનિયામાં અલગ પડી ગયા છે. એવામાં મોસ્કોના જાણીતા બિઝનેસમેન એલેક્સ કોનાનીખિને (Who is Alex Konanykhin) એ પુતિનની ધરપકડ કરનાર વ્યક્તિને કરોડોનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. કોનાનીખિનનું કહેવું છે કે, જો કોઈ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડ કરશે તો તેને સાડા 7 કરોડ રૂપિયાનું ઈનામ આપશે.
એલેક્સ કોનાનીખિને (Alex Konanykhin) એ આ પોસ્ટ Linkedin પર લખી છે. આ પોસ્ટ સાથે વ્લાદિમીર પુતિનનો ફોટો પણ લગાવવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે મૃત કે જીવિત. પોસ્ટમાં તેઓએ લખ્યું કે - 'હું વચન આપું છું કે કોઈ પણ અધિકારી પોતાની બંધારણીય ફરજ નિભાવશે અને પુતિનને રશિયન અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ યુદ્ધ ગુનેગાર તરીકે ધરપકડ કરશે તો હું તેને $1,000,000 આપીશ.'
તેઓએ વધુમાં લખ્યું કે, 'પુતિન રશિયાના રાષ્ટ્રપતિ નથી. તેઓએ સ્પેશિયલ ઓપરેશન અંતર્ગત રશિયાના અનેક એપાર્ટમેન્ટ, બિલ્ડિંગને ઉડાવી દીધી. ત્યાર બાદ તેઓએ ચૂંટણી પણ નથી કરાવી. સંવિધાનની મજાક બનાવી દીધી છે. તેઓએ પોતાના વિરોધીઓની હત્યા કરાવી છે.'
આમ પણ કોનાનીખિનને રશિયન સરકાર સાથે કાયમ તણાવ જ રહ્યો છે
એલેક્સ કોનાનીખિને લખ્યું કે, 'રશિયાના નાગરિક થવાના લીધે આ મારી નૈતિક ફરજ છે કે, રશિયાને નાજીવાદ અને તેના પ્રભાવથી છુટકારો અપાવવા માટે હું મદદ કરુ. હું સતત યુક્રેનની મદદ કરીશ. જેને આ યુદ્ધમાં એક નાયકની જેમ પુતિન વિરૂદ્ધ પોતાનો પક્ષ દેખાડ્યો.'
આમ તો એલેક્સ કોનાનીખિનને રશિયન સરકાર સાથે કાયમ તણાવ જ રહ્યો છે. 1996 માં છપાયેલી વોશિંગ્ટનની પોસ્ટના એક આર્ટિકલ અનુસાર, એલેક્સએ માસ્કો ફિજિક્સ એન્ડ ટેક્નિકલ ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કર્યો, પરંતુ તેઓના અભ્યાસ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. ત્યાર બાદ તેઓએ વિદ્યાર્થી બાંધકામ સહકારીની શરૂઆત કરી. તેઓએ અનેક બીજા બિઝનેસ પણ કર્યાં. જેમાં બેંકિંગ, સ્ટોક્સ અને રિયલ એસ્ટેટ પણ સામેલ છે. 25 વર્ષની ઉંમર સુધીમાં તેઓની પાસે 100 કંપનીઓ હતી.