ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી એક મહિનાના બ્રેક પર છે. તેઓ પોતાની પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા.
વિરાટ કોહલી હાલ રજાના માહોલમાં
અઢી વર્ષથી સતક નથી લગાવી શક્યો
વિરાટે કહ્યું હાલ વર્લ્ડ કપની તૈયારીઓમાં
ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજકાલ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. તે અઢી વર્ષથી સતક અને પાંચ મહિનાથી અર્ધ સતક ફટકારી શક્યો નહતો. તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસમાં પણ કોહલી 6 આંતરરાષ્ટ્રીય ઈનિંગમાં 76 રન જ બનાવી શક્યો.
ખરાબ પર્ફોમન્સ
ખરાબ દેખાવને કારણે કોહલીની આકરી ટીકા થઈ રહી છે. પરંતુ આ દરમિયાન કોહલીએ પોતાના ફેન્સને એક મેસેજ આપ્યો છે. તે ટીકાકારોનો જવાબ પણ ગણી શકાય. આ મેસેજમાં કોહલીએ પોતાનો ગોલ જણાવતા કહ્યું હતું કે, તે તે તેના માટે કંઈ પણ કરશે.
વિરાટ કોહલીએ શું કહ્યું?
સ્ટાર સ્પોર્ટ્સને આપેલા નિવેદનમાં કોહલીએ કહ્યું, "મારું લક્ષ્ય ટીમ ઇન્ડિયાને એશિયા કપ અને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરવાનું છે. જે કંઈ કરવું પડે તે માટે હું તૈયાર છું." તમને જણાવી દઈએ કે એશિયા કપ સપ્ટેમ્બરમાં શ્રીલંકા દ્વારા યોજાવાનો છે, જે યુએઈમાં યોજાઈ શકે છે. આ પછી ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને મેજર ટુર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં હશે.
કોહલી એક મહિનાની રજા પર
હાલ વિરાટ કોહલી એક મહિનાના બ્રેક પર છે. તેઓ પોતાની પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા હતા. તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ, ટી-20 અને ત્યાર બાદ વન ડેની શ્રેણી રમ્યા બાદ કોહલી ફ્રી થઈ ગયો છે. હવે તેણે આગામી એક મહિના સુધી શ્રેણી રમવાની નથી. ઓગસ્ટમાં ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે જવાની છે. એશિયા કપ પણ રમાવાનો છે. બંને શેડ્યૂલ હજી સુધી રિલીઝ થયા નથી. આવી સ્થિતિમાં કોહલી માટે એક મહિનાના લાંબા બ્રેક પર વિચાર લઇ શકે છો.
કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસથી આરામ કર્યો
વાસ્તવમાં ઈંગ્લેન્ડ બાદ હવે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચી ગઈ છે. અહીં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ મેચની વન-ડે સિરીઝ રમી રહી છે. તેની કેપ્ટનશીપ શિખર ધવને કરી છે. આ પછી રોહિત શર્માની કેપ્ટન્સીમાં પાંચ ટી-20ની સિરિઝ રમાવાની છે. આ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. વિરાટ કોહલીને બંને સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો.