દિનેશ કાર્તિક ઑસ્ટ્રેલિયા સીરિઝમાં સિલેક્ટ ના થવાને લઇને મોટો ખુલાસો કર્યો છે. એને કહ્યું છે કે એ વખતે હું ખૂબ જ પરેશાન હતો, જ્યારે મને પસંદગીકર્તામાં તક ના આપી. કરિયરમાં બીજી વખત વર્લ્ડ કપમાં સિલેક્ટ થયો છે દિનેશ કાર્તિક.
બે દિવસ પહેલા જ BCCIએ આગામી ICC ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરી છે. વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયામાં દિનેશ કાર્તિક અને વિજય શંકરને જગ્યા આપવામાં આવી છે. આ બંને ખેલાડીઓના સિલેક્શનને લઇને છેલ્લા બે દિવસથી ખૂબ વાત થઇ રહી છે. આ વચ્ચે દિનેશ કાર્તિકે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
પહેલા તો કાર્તિકે વર્લ્ડ કપ ટીમાં પોતાના સિલેક્શનને લઇને ખુશી વ્યક્ત કરી છે તો બીજી બાજુ એને કહ્યું છે કે IPL પહેલા ખથમ થયેલા ઑસ્ટ્રેલિયા સીરિઝમાં જ્યારે એની પસંદગી ના થઇ તો એ ખૂબ પરેશાન હતો. કાર્તિકે કહ્યું જો કે એનાથી નિરાશ થયો નથી અને મને આશા હતી કે મને વર્લ્ડકપમાં તક આપી શકે છે.
ઑસ્ટ્રેલિયા સીરિઝમાં સિલેક્ટ નહીં થવાને લઇને દિનેશ કાર્તિકે કહ્યું, 'ઑસ્ટ્રેલિયાઇ સીરિઝ માટે નહીં સિલેક્ટ થવા પર હું થોડો પરેશાન હતો, પરંતુ મને ભરોસો હતો કે જે થવાનું છે એ થઇને રહેશે. કેટલીક ચીજો તમારા નિયંત્રણમાં થતી નથી અને સારું એ જ રહેશે કે તમે એના માટે વિચારો નહીં.'
દિનેશ કાર્તિકે જણાવ્યું છે કે, 'ટીમ જાહેર કરતા પહેલા સિલેક્ટકર્તાથી કોઇ વાત થઇ નથી પરંતુ ખૂબ પહેલા એમને સ્પષ્ટ કરી દીધું હતું કે એ મને પૂરતી તક આપશે.'
જણાવી દઇએ કે કાર્તિક બીજી વખત વર્લ્ડકપમાં પસંદ થયો છે. આ પહેલા એને 2007માં વર્લ્ડ કપની ટીમ માટે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ ધોનીની હાજરીના કારણે એ એક પણ મેચ રમી શક્યો નહતો.