ખેડબ્રહ્માના પૂર્વ MLA અને કોંગ્રેસના નેતા અશ્વિન કોટવાલ વિધિવત રીતે આજે વિધિવત ભાજપમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કેસ તેઓ ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા.
ખેડબ્રહ્માના પૂર્વ MLA અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં ભાજપનો પહેર્યો ખેસ
હું પદની લાલચ વિના ભાજપ સાથે જોડાઉ છું-કોટવાલ
ખેડબ્રહ્માના પૂર્વ MLA અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા
ખેડાબ્રહ્માથી પૂર્વ MLA અને કોંગ્રેસના નેતા અશ્વિન કોટવાલ વિધિવત રીતે આજે ભાજપમાં જોડાયા છે. તેઓ ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. ત્યારે આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે અશ્વિન કોટવાલ વિધિવત કેસરીયો ધારણ કરીને ભાજપમાં જોડાયા છે. આ સમયે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા. તો બીજી તરફ કમલમમાં પણ અશ્વિન કોટવાલના સ્વાગત માટે મોટી તૈયારીઓ કરવામાં આવી હતી. મંડપ સહિત મોટી સંખ્યામાં ખુરશીઓ સજાવવામાં આવી હતી. અશ્વિન કોટવાલને આવકારવા માટે ભાજપના અનેક નેતાઓ કમલમ ખાતે હાજર રહ્યા હતા.
હું પદની લાલચ વિના ભાજપ સાથે જોડાઉ છું.-અશ્વિન કોટવાલ
આ પ્રસંગે અશ્વિન કોટવાલે જણાવ્યું હતું કે, હું પદની લાલચ વિના ભાજપ સાથે જોડાઉ છું. હું જનતા માટે કામ કરનારો વ્યક્તિ છું. તેમણે જણાવ્યું હતું કે, મારી નારાજગી કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિ સામે હતી. ભારતીય જનતા પાર્ટીએ આદીવાસીઓ માટે ઘણી યોજના પર કામ કર્યું છે. તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર આકરાં પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કેજરીવાલે ક્યારે કોઈ આદિવાસીની મદદ કરી છે કે, નહીં. તેમણે જણાવ્યું હતું કે, PM મોદી કહ્યું હતું કે, સારા લોકોએ રાજકારણમાં આવે તે જરૂરી છે. હું કોંગ્રેસમાં હતો પણ મારા દિલમાં મોદી સાહેબ વસેલા હતાં. કોઈ દેશને આવા વિકાસ પુરુષ નહીં મળે.
કોંગ્રેસથી નારાજગીનું કારણ શું?
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના કાર્યક્રમોમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી જોવા મળી રહી છે. પાર્ટીએ વિપક્ષના નેતા ન બનાવતા નારાજ થયેલા અશ્વિન કોટવાલે ભાજપનો છેડો પકડ્યો હોય તેવી ચર્ચાઓએ જોર પડક્યુ છે. સમગ્ર વિધાનસભા સત્રમાં કોટવાલ નિષ્ક્રિય રહ્યા હતા. જે જોતા લાગી રહ્યુ છે અશ્વિન કોટવાલ કોંગ્રેસથી નારાજ છે.
કોંગ્રેસ માટે ચિંતાનો વિષય
મહત્વનુ છે કે ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ 3-4 ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી છે. આવા સમયમાં કોંગ્રેસ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. જે આવનાર ચૂંટણીને લઇને આદિવાસી મતવિસ્તારોનો આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે.