મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના ધારાસભ્ય નીતિશ દેશમુખ સુરતની હોટલથી નાગપુર પહોંચ્યા બાદ ચોંકાવનારા ખુલાસો કર્યો છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના MLA ચોંકાવનારા ખુલાસા
નીતિશ દેશમુખ સુરતની હોટલથી નાગપુર પહોંચ્યા બાદ કર્યો ચોંકાવનારા ખુલાસો
સુરત પોલીસના 200 જવાન મારી પાછળ હતા અને મને હાર્ટઍટેક આવ્યો છે તેવી અફવા ફેલાવી
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ સુરતની હોટલથી નાગપુર ભાગી ગયા છે. નાગપુર પહોંચ્યા બાદ ધારાસભ્ય દેશમુખે કહ્યું કે 20 થી 25 લોકોએ મને હોસ્પિટલ લઈ ગયા બાદ બળજબરીથી ઈન્જેક્શન લગાવ્યા. તે ઇન્જેક્શન શું હતા, એની મને ખબર નથી. તેમણે આગળ કહ્યું-મને બેભાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેના કારણે હું કંઈ સમજી શક્યો નહીં. હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક હતો, શિવસેનામાં રહીશ.
મને બળજબરીથી હોસ્ટિપલ લઈ જવાયો પછી મને હાર્ટઍટેક આવ્યો છે તેવી અફવા ફેલાવી
નીતિન દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે સુરતની હોટલમાં રાત્રે 3 વાગ્યે કોઈને કહ્યાં વગર ચાલીને હોટલની પાસે આવેલા ચાર રસ્તા પાસે પહોંચ્યો ત્યારે સુરત પોલીસના 150-200 જવાનો મારો પીછો કરી રહ્યાં હતાં.તેઓ મને કોઈ પણ પ્રકારને મહારાષ્ટ્ર પરત જવા દેવા ન માગતાં હતાં. હું જે કોઈ પણ વાહનને ઉભું રાખીને મુંબઈ આવવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે તેઓ મારી અટકાયત કરી હતી. બાદમાં 20 થી 25 લોકો મને હોસ્પિટલ લઈને ગયા અને બળજબરીથી ઈન્જેક્શન લગાવી મને બેભાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ભગવાનની કૃપાથી મને કંઈ ના થયું ત્યાર બાદ તેઓ અફવા ચલાવી કે મને હાર્ટએટેક આવ્યો છે.
શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યું હતું કે, સુરતમાં શિવસેનાના MLAને માર મારવામાં આવ્યો છે
અગાઉ શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યું હતું કે સુરતમાં શિવસેનાના ધારાસભ્યોને ગુજરાત પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે. તે મુંબઈ આવવા માંગતો હતો. પરંતુ ગુજરાત પોલીસ તેમને પકડીને સુરત લઈ ગઈ હતી. એવું પણ લખવામાં આવ્યું હતું કે ધારાસભ્ય નીતિત દેશમુખને એટલો માર મારવામાં આવ્યો હતો કે તેઓને હાર્ટ એટેક પણ આવ્યો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જો કે પાછળથી તેમણે પોતે જ આ બાબત સ્પષ્ટ કરી દીધી હતી કે તેઓને હાર્ટ અટેક આવ્યો જ નથી.
શિંદેએ પાર્ટીમાં બળવો કરીને મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો લાવી દીધો
ઉલ્લેખનીય છે કે,શિવસેના સામે બળવો કરનાર એકનાથ શિંદે મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સરકાર બનાવવાની માંગ કરવા પાર્ટીના ધારાસભ્યો સાથે સુરત પહોંચ્યા હતા. શિવસેનાના સૌથી વફાદાર નેતાઓમાંના એક એકનાથ શિંદેએ પાર્ટીમાં બળવો કરતા બે ડઝનથી વધુ ધારાસભ્યોને પોતાની સાથે લીધા છે. રાજકીય વાતાવરણમાં ગરમાવો જોતા તેઓ હવે આસામની રાજધાની ગુવાહાટી પહોંચ્યા છે.