કેએલ રાહુલ ફેબ્રુઆરી પછી ટીમ ઈન્ડિયા માટે એક પણ મેચ નથી રમ્યા. આઈપીએલ પછી અને સીરીઝના ઠીક પહેલા રાહુલ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા.
કેલ એલ રાહુલને તેના ફિટનેસને કારણે ઝિમ્બાબ્વે સાથે થઈ રહી વનડે સીરીઝથી બહાર
તેની માટે કેએલ રાહુલે એક ઈમોશનલ નિવેદન બહાર પાડ્યું છે.
ટીમ ઈન્ડિયા અત્યારે વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 સિરીઝ રમી રહી છે અને એ પછી તરત જ ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે. ઝિમ્બાબ્વે સાથે થઈ રહી વનડે સીરીઝનું એલાન ટીમ ઈન્ડિયા એ કરી નાખ્યું છે. આ સીરીઝમાં પણ સિનિયર પ્લેયરને આરામ આપવામાં આવ્યો છે પણ કેલ એલ રાહુલને તેના ફિટનેસને કારણે બહાર રહેવું પડશે આવું સાંભળીને તેના ફેન્સ ઘણા પરેશાન છે.
કેએલ રાહુલ ફેબ્રુઆરી પછી ટીમ ઈન્ડિયા માટે એક પણ મેચ નથી રમ્યા. આઈપીએલ પછી અને સીરીઝના ઠીક પહેલા રાહુલ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા અને એ પછી એ કોરોના સંક્રમિત પણ થઈ ગયા હતા. જો કે એમના સ્વાસ્થ્યને લઈને જે લોકો પરેશાન હતા તેની માટે કેએલ રાહુલે એક ઈમોશનલ નિવેદન બહાર પાડ્યું છે.
કેએલ રાહુલે સોશ્યલ મડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને જેમાં એમને તેમની ફિટનેસ વિશે અપડેટ આપી છે અને સાથે એમ પણ લખ્યું છે કે વારંવાર મેચ મિસ કરવા પર એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કે એલ રાહુલે તેની પોસ્ટમાં લખ્યું છે કે, 'જૂન મહિનામાં મારી સર્જરી થઈ હતી જે સફળ રહી હતી. એ પછી મેં ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી અને મને એવી આશા હતી કે વેસ્ટ ઈન્ડિઝ સામે થવાવાળી મેચમાં હું પરત ફરીશ પણ જેમ હું ફિટ થવા લાગ્યો એમ હું અચાનક કોરોના સંક્રમિત થઈ ગયો હતો. એટલા માટે વસ્તુઓ ફરી પાછળ થઈ ગઈ. પણ હું પૂરી રીતે રિકવર થવાની કોશિશ કરું છું અને જલ્દી જ ટીમમાં પાછો આવું એવો પ્રયત્ન કરું છું.'
તમને જણાવી દઈએ કે જૂનમાં સાઉથ આફ્રિકા સામે યોજાયેલ ટી20 સીરીઝમાં રાહુલ કેપ્ટનશિપ નિભાવવાના હતા પણ એ સમયે એમને ગ્રોઇન ઇન્જરી થઈ ગઈ હતી અને મેચના એક દિવસ પહેલા ઋષભ પંતને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. એ સમયે રાહુલે જર્મનીમાં સર્જરી કરાવી હતી અને ત્યારથી તેઓ ક્રિકેટ એકેડમીમાં જ રહે છે.